IND vs SL: શ્રીલંકા વિરુદ્ધ આગામી ટી20 સિરીઝમાંથી કેએલ રાહુલને ભારતીય ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. રાહુલ સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા પણ ઈજાગ્રસ્ત છે. જેથી તે રમશે કે કેમ એ હજુ કહી શકાય એમ નથી. બીસીસીઆઈએ શ્રીલંકા વિરુદ્ધ ડોમેસ્ટિક સિરીઝ માટે ચેતન શર્માની આગેવાનીવાળી સિલેક્શન કમિટીને ટીમ પસંદ કરવાની જવાદબારી સોંપી છે.