kl rahul and athiya shetty wedding, કે એલ રાહુલ-આથિયા શેટ્ટીના લગ્નમાં ધોની-કોહલી સહિતનાને અપાયું આમંત્રણ, 3 દિવસ ચાલશે કાર્યક્રમો - virat kohli and ms dhoni included in kl rahul and athiya shetty wedding guest list

kl rahul and athiya shetty wedding, કે એલ રાહુલ-આથિયા શેટ્ટીના લગ્નમાં ધોની-કોહલી સહિતનાને અપાયું આમંત્રણ, 3 દિવસ ચાલશે કાર્યક્રમો – virat kohli and ms dhoni included in kl rahul and athiya shetty wedding guest list


મુંબઈ: ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ (K L Rahul) પોતાના કરિયરના સૌથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ટીમમાં તેના સ્થાન સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. રન બની નથી રહ્યા. પરંતુ, હવે નવા વર્ષમાં આ ક્રિકેટર નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટસ મુજબ, રાહુલ પોતાની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી સાથે આ વર્ષે 23 જાન્યુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ જશે. લગ્નના કાર્યક્રમો 3 દિવસ ચાલશે. સૂત્રોનું માનીએ તો સુનીલ શેટ્ટીના ખંડાલાવાળા બંગલા પર આ લગ્ન યોજાશે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી શકી નથી.

21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે લગ્નના કાર્યક્રમો યોજાશે. શરૂઆતના બે દિવસ એટલે કે 21 અને 22 જાન્યુઆરીએ હલ્દી-મેંહદી અને સંગીત સેરેમની છે. 23 જાન્યુઆરીએ રાહુલ-આથિયા લગ્નગ્રંથીથી જોડાશે. બંને પરિવારોમાં હાલ ઘણી ખુશીનો માહોલ છે. પરંતુ, આ ઈવેન્ટથી મીડિયાને દૂર રાખવામાં આવશે. લગ્ન દરમિયાન બધા કાર્યક્રમો સાદગીથી યોજાશે. લગ્નમાં ઘણા ઓછા લોકોને આમંત્રણ અપાશે, તેવું જાણવા મળી રહ્યું છે.

રાહુલ અને આથિયાએ મહેમાનોનું લિસ્ટ તૈયાર કરી લીધું છે. તેમાં બોલિવુડ અને ક્રિકેટ જગતના ઘણી હસ્તીઓ સામેલ છે. આ પાવર કપલના ગેસ્ટ લિસ્ટમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, જેકી શ્રોફ, અક્ષય કુમાર જેવા સેબિબ્રિટી સામેલ છે.

કહેવાય છે કે, પ્રેમ છૂપો રહેતો નથી. રાહુલ-આથિયાના મામલે પણ એવું થયું હતું. બંને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાના ફોટોઝ પર ઘણી કોમેન્ટ કરતા હતા. ફેન્સએ બંનેનું અફેર પકડી લીધું હતું. હવે, કહેવાઈ રહ્યું છે કે, લગ્ન પછી બંને બાંદ્રામાં રહેશે. આ ફ્લેટ પાલી હિલમાં રણબીર-આલિયાના બંગલાની નજીક છે.

હાલમાં ખરાબ ફોર્મમાં છે રાહુલ
લોકેશ રાહુલ હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ટી-20 ઉપરાંત વન-ડેમાં પણ તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. તેનાતી ફેન્સ નારાજ છે અને તેને ટીમમાંથી બહાર કરવાની વાત પણ થઈ રહી છે. તેની પાસેથી વાઈસ કેપ્ટનશિપ પણ છીનવી લેવાઈ છે. વન-ડે ટીમમાં હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન છે અને ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારાને એ જવાબદારી સોંપાઈ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *