Kirtidan Gadhavi, પાલનપુરમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં સોના-ચાંદીના સિક્કાનો વરસાદ, 1 કરોડની નોટોથી ભરાઈ ગયું સ્ટેજ - not only currency notes bur silver and gold coins also showers on kirtidan gadhavi at palanpur

Kirtidan Gadhavi, પાલનપુરમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં સોના-ચાંદીના સિક્કાનો વરસાદ, 1 કરોડની નોટોથી ભરાઈ ગયું સ્ટેજ – not only currency notes bur silver and gold coins also showers on kirtidan gadhavi at palanpur


કીર્તિદાન ગઢવી (Kiritdan Gadhavi) ગુજરાતના જાણીતા લોકગાયક છે. તેમના ચાહકો માત્ર અહીંયા જ નહીં પરંતુ દુનિયાભરમાં ફેલાયેલા છે. તેઓ ગુજરાત તેમજ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના શહેરોમાં લોકડાયરો કરતાં રહે છે. કીર્તિદાન જ્યાં પણ જાય ત્યાં તેમના પ્રશંસકો ખૂબ પ્રેમ વરસાવે છે અને ઘણીવાર ચલણી નોટોનો વરસાદ પણ કરે છે. તેમનું સ્ટેજ 200-500ની નોટ અને ડોલરથી ભરાઈ છે. પરંતુ બુધવારે તેમના લોકડાયરામાં જે થયું તે આશ્ચર્યજનક હતું અને આવું અગાઉ ક્યારેય કદાચ થયું નથી. વાત એ છે કે, પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેમનો ડાયરો હતો. જ્યાં 1 કરોડ રૂપિયાની નોટો ઉડાવવામાં આવી હતી. ત્યારબાદ તેમના પર સોના અને ચાંદીના સિક્કાનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. આ જોઈને તેઓ પોતે પણ ચોંકી ગયા હતા.

MasterChef India 7: માસ્ટર શેફ 7ને મળ્યા ટોપ 3 ફાઈનાલિસ્ટ, અરુણા વિજય બહાર થતાં દર્શકો થયા ખુશ

લોકડાયરામાં સોના-ચાંદીના સિક્કાનો વરસાદ


પાલનપુરમાં જલારામ માનવ સેવા ટ્રસ્ટ અને સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીર્તિદાન ગઢવીએ ભજન ગાઈને ભક્તિમય વાતાવરણ ઉભું કર્યું હતું. ડાયરામાં હાજર સૌ કોઈ તાને ચડ્યા હતા અને કેટલાક ઉભા થઈને નાચવા પણ લાગ્યા હતા. કેટલાક લોકો તેવા પણ હતા જેઓ સ્ટેજ પર ગયા હતા અને 10, 20, 50, 100 તેમજ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. આમ એક કરોડ રૂપિયા ઉડ્યા હતા. આટલું ઓછું ન હોય તેમ સોના-ચાંદીના સિક્કા પણ તેમના પર વરસાવવામાં આવ્યા હતા. આ જોઈને કીર્તિદાનને નવાઈ લાગી હતી અને કહ્યું હતું ‘સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કરનારા આ પરિવારને સૌ વધાવી લો. ભગવાન તમને ઘણું આપે’. બાદમાં તેમણે ‘જાણે જગતનો નાથ રે…’ ભજન ગાયું હતું. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બિગ બોસ 16ની વિનર પ્રિયંકા જ બનવાની હોવાનું હતું નક્કી! મેકર્સે એકાએક કેમ બદલ્યો નિર્ણય?

કચ્છમાં મા મોગલના કર્યા દર્શન


આ પહેલા કીર્તિદાન ગઢવીએ કચ્છના લાકડિયામાં ડાયરો કર્યો ત્યારે પણ તેમના પર નોટોનો વરસાદ થયો હતો. તેઓ માતાજીના મોટા ભક્ત છે તે વાત સૌ જાણે છે અને તેથી જ જ્યારે તેઓ કચ્છ ગયા ત્યારે ડાયરો કરતા પહેલા ત્યાંના પ્રસિદ્ધ મા મોગલના મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું. જ્યારે ત્યાં હાજર કોઈએ તેમને હાર પહેરાવવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે તે હાર હાથમાં લઈને માને અર્પણ કર્યો હતો.

નવા ઘરમાં કીર્તિદાન ગઢવીનો ગૃહપ્રવેશ


કીર્તિદાન ગઢવી હાલમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે કથાકાર જીગ્નેશ દાદાએ પણ હાજરી આપી હતી. ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેતા આ લોકગાયકે તેમના આલિશાન ઘરની ઝલક દેખાડતો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમના ઘરનું મંદિર, વિશાળ લિવિંગ રૂમ તેમજ ભવ્ય મંદિર જોવા મળ્યું. તેમણે તેમના પત્ની સાથે ઘરમાં ઘડો મૂક્યો હતો અને હવનમાં ભાગ લીધો હતો. વીડિયો શેર કરીને તેમણે લખ્યું હતું ‘મંગલ પ્રવેશ. વાસ્તુ યજ્ઞ’. તેમ સમયે કેટલાક ગુજરાતી કલાકારો અને તેમના ચાહકોએ કોમેન્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.

Read latest Entertainment News and Gujarati News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *