Today News

IPL 2023 Captains: ફોટો સેશન માટે દરેક ટીમના કેપ્ટન આવ્યા હતા અમદાવાદ, રોહિત શર્મા કેમ રહ્યો ગેરહાજર? – mi why mumbai indians captain rohit sharma was absent from captains meet

IPL 2023 Captains: ફોટો સેશન માટે દરેક ટીમના કેપ્ટન આવ્યા હતા અમદાવાદ, રોહિત શર્મા કેમ રહ્યો ગેરહાજર? - mi why mumbai indians captain rohit sharma was absent from captains meet


અમદાવાદઃ આજથી (31 માર્ચ) ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2023) ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે, જે આશરે બે મહિના સુધી ચાલશે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલાક દિગ્ગજોની હાજરીમાં ઓપનિંગ સેરેમની યોજાશે અને બાદમાં IPL 2022ના ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પહેલી મેચ રમાશે. નવી સીઝનની શરૂઆતની પૂર્વ સંધ્યાએ દરેક ફ્રેન્ચાઈઝની કેપ્ટન અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ટ્રોફી સાથે ફોટો સેશન કરાવ્યું હતું. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે, તેમાં કોઈ વાત લોકોની આંખે ઉડીને વળગી હોય તો તે હતી રોહિત શર્માની (Rohit Sharma) ગેરહાજરી, જે મુંબઈ ઈન્ડિયન્સનો (Mumbai Indians) કેપ્ટન છે. તસવીરમાંથી ‘હિટમેન’ને ગાયબ જોઈને ફેન્સને પણ ચિંતા થઈ આવી હતી. તે કેમ હાજર રહી શક્યો નહીં તે પાછળનું કારણ સામે આવ્યું છે.

IPL 2023: પહેલી મેચમાં કેવી રહેશે અમદાવાદની પીચ? વરસાદ અંગે આવ્યા મોટા સમાચાર

કેપ્ટનના ફોટોશૂટ વખતે રોહિત શર્મા ગેરહાજર

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, તબિયત ખરાબ હોવાના કારણે રોહિત શર્મા કેપ્ટન ફોટોશૂટ અને પ્રી સીઝન મીટમાં હાજર રહી શક્યો નહતો. ફોટોશૂટ વખતે ભુવનેશ્વર કુમાર હાજર રહ્યો હતો જે એડેન માર્કરમની ગેરહાજરીમાં સનરાઈઝર્સ હૈદરાબાાદની કેપ્ટનશિપ કરશે, આ સિવાય શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ રોહિત માટે કહેવામાં આવ્યું રહ્યું છે કે, તેની તબિયત ઠીક નહોતી અને તેથી તે કાર્યક્રમ માટે અમદાવાદ પહોંચી શક્યો નહોતો. જો કે, તેની ગેરહાજરીમાં ટીમમાં અન્ય કોઈ ખેલાડી સામેલ થયો નહોતો.

IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સમાંથી રોહિત શર્મા અચાનક બહાર? તેના સ્થાને આ ખેલાડીને અપાશે સુકાની પદ!

MI માટે કેટલીક મેચ નહીં રહે રોહિત શર્મા
અગાઉ તેવી પણ ખબર હતી કે, રોહિત શર્મા આ વખતની આઈપીએલમાં કેટલીક મેચ રમવાનો નથી. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ટીમ ઈન્ડિયા માટે શિડ્યૂલ એકદમ ટાઈટ ચાલી રહ્યું છે. કારણ કે, આ ટી20 લીગ ખતમ થયા બાદ તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે લંડન જવાના થશે. ત્યાંથી આવ્યાના થોડા સમય બાદ વર્લ્ડ કપ 2023ની શરૂઆત થશે, જે ભારતમાં રમાશે. તેથી, રોહિત શર્માનો વર્કલોડ ઓછો કરવા માટે મેનેજમેન્ટે તેના માટે આ નિર્ણય લીધો છે. MIનો ધાકડ બોલર જસપ્રીત બુમરાહ પણ આ સીઝનમાં ઈજાના કારણે રમી શકવાનો નથી. તેથી ફ્રેન્ચાઈઝી પર દરેક રીતે મુસીબતો છે તેમ લાગી રહ્યું છે.

પાંચ વખત IPL ચેમ્પિયન બન્યું છે MI
રોહિત શર્મા IPLના અત્યારસુધીના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યારસુધીમાં પાંચ વખત ટ્રોફી જીત્યું છે અને તે રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. બીજા નંબરે ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ આવે છે, જે ચાર વખત ચેમ્પિયન બન્યું છે.

Read latest Cricket News and Gujarati News

Exit mobile version