rajkot team india2

india vs sri lanka 3rd t20 rajkot 2023, ભારત વિ. શ્રીલંકા ત્રીજી T20: રાજકોટમાં ઢોલ-નગારા અને ગરબા સાથે ટીમ ઈન્ડિયાનું સ્વાગત – india vs sri lanka 3rd t20 grand welcome of hardik pandya lead team india in rajkot


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 6 Jan 2023, 10:56 pm

India vs Sri Lanka 3rd T20 : ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી અને નિર્ણાયક ટી20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ માટે બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. રાજકોટમાં ઢોલ-નગારા અને ગરબા સાથે હોટલમાં ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં ત્રણ ટી20 મેચની સીરિઝ 1-1થી બરાબરી પર છે.

 

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી20 મેચ રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયા રાજકોટ આવી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

હાઈલાઈટ્સ:

  • ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમો ત્રીજી અને અંતિમ ટી20 મેચ રમવા માટે રાજકોટ આવી પહોંચી છે
  • ત્રણ ટી20 મેચની સીરિઝ હાલમાં 1-1થી બરાબરી પર છે, પ્રથમ મેચ ભારતે અને બીજી મેચ શ્રીલંકાએ જીતી હતી
  • ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી અને નિર્ણાયક મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન મેદાન પર રમાશે
ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રીજી અને નિર્ણાયક ટી20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ માટે બંને ટીમોનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. રાજકોટમાં ઢોલ-નગારા અને ગરબા સાથે હોટલમાં ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્તમાન ભારતીય ટીમમાં ત્રણ સ્ટાર ખેલાડીઓ ગુજરાતના છે. જેમાં હાર્દિક પંડ્યા કેપ્ટન છે જ્યારે અક્ષર પટેલ અને હર્ષલ પટેલ પણ ટીમમાં સામેલ છે. અક્ષર પટેલે બંને મેચમાં શાદનાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ટી20માં તેણે અંતિમ ઓવરમાં 13 રન બચાવ્યા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો. જ્યારે બીજી ટી20માં તેણે તોફાની બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી પરંતુ ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
રાજકોટ ખાતે રમાનારી ત્રીજી અને અંતિમ ટી20 મેચ નિર્ણાયક બની રહેશે. ત્રણ ટી20 મેચની સીરિઝ હાલમાં 1-1થી બરાબરી પર છે. જેથી જે ટીમ રાજકોટમાં વિજય નોંધાવશે તે સીરિઝ પણ જીતી લેશે. પ્રથમ ટી20 મેચ અંતિમ બોલ સુધી દિલધડક રહી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 2 રનથી વિજય નોંધાવ્યો હતો. જ્યારે બીજી ટી20માં શ્રીલંકાના બેટર્સ અને બોલર્સ બંનેએ લાજવાબ પ્રદર્શન કર્યું હતું. ભારત સામે 206 રનનો લક્ષ્યાંક હતો પરંતુ ટીમના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલે તોફાની અડધી સદી ફટકારી હોવા છતાં ટીમને 16 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી છે છતાં ટીમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. યુવાન ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હાલમાં આગામી ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી રહી છે અને તે મુજબ યુવાન ખેલાડીઓને તક આપી રહી છે.
હાર્દિક પંડ્યાને ટી20 ટીમનો આગામી સુકાની માનવામાં આવી રહ્યો છે. તેની કેપ્ટનસીમાં ટીમ સારો દેખાવ કરી રહી છે. જ્યારે હાર્દિક પંડ્યા પણ કેપ્ટન તરીકે અખતરા કરી રહ્યો છે. આ ઉપરાંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે સાહસિક નિર્ણય લઈ રહ્યો છે. પ્રથમ ટી20માં શ્રીલંકાને જીતવા માટે 13 રનની જરૂર હતી ત્યારે તેણે સ્પિનર અક્ષર પટેલને બોલિંગ કરીને તમામ લોકોને આશ્ચર્યમાં મૂક્યા હતા. જોકે, અક્ષરે પણ તેને નિરાશ કર્યો ન હતો અને ટીમને વિજય અપાવ્યો હતો.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *