Ben Stokes

india vs england semifinal, T20 WC: સ્ટોક્સની ચેતવણી, ‘ભારત સામે જીતવા ઈંગ્લેન્ડે આ ખતરનાક ખેલાડીને શાંત રાખવો પડશે’ – t20 world cup 2022 india vs england semifinal ben stocks warns his team about suryakumar yadav


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 8 Nov 2022, 5:11 pm

T20 World Cup 2022, India vs England SemiFinal: સ્ટોક્સે સ્વીકાર્યું હતું કે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચ્યું છે પરંતુ હજી સુધી તેણે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. જોકે, ભારત સામેની મોટી મેચમાં ટીમ કોઈ કચાશ રાખશે નહીં. અમે ગુરૂવારે ભારત સામે શ્રેષ્ઠ ક્રિકેટ રમવું પડશે તે અમે સારી રીતે જાણીએ છીએ. હાલમાં ભારતીય ટીમ અત્યંત મજબૂત છે.

 

હાઈલાઈટ્સ:

  • ટી20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બર ગુરૂવારે સેમિફાઈનલ રમાશે
  • ઈંગ્લેન્ડના સ્ટાર ઓલ-રાઉન્ડરના મતે ભારતીય ટીમ ટુર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ છે
  • ઈંગ્લેન્ડે જીતવા માટે સૂર્યકુમાર યાદવને સસ્તામાં આઉટ કરવો પડશેઃ બેન સ્ટોક્સ
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલો ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 અને 10 તારીખે ટુર્નામેન્ટની સેમિફાઈનલ રમાશે. પ્રથમ સેમિફાઈનલમાં બુધવારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ આમને સામને થશે. જ્યારે શુક્રવારે બીજી સેમિફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જંગ જામશે. ભારત સામે રમાનારી સેમિફાઈનલ અગાઉ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સે કહ્યું છે કે જો ઈંગ્લેન્ડે રોહિત શર્માની ટીમ સામે જીતવું હશે તો તેણે ઘાતક ફોર્મમાં રમી રહેલા સૂર્યકુમાર યાદવને સસ્તામાં આઉટ કરવો પડશે. આ ઉપરાંત તેણે સ્ટાર બેટર અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીની પણ પ્રશંસા કરી હતી.

બેન સ્ટોક્સે કહ્યું હતું કે, સૂર્યકુમાર હાલમાં ઘાતક ફોર્મમાં છે. તે એક લાજવાબ ખેલાડી છે અને તે કેટલાક એવા શોટ્સ રમે છે જેને જોઈને તમે માથું ખંજવાળવા લાગશો. તે અદ્દભુત ફોર્મમાં છે, પરંતુ આશા છે કે અમે તેને સ્સતામાં આઉટ કરવાનો પ્રયાસ કરીશું અને તેને તોફાની બેટિંગ કરવાની તક આપીશું નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી બેન સ્ટોક્સ અને વિરાટ કોહલી વચ્ચે હેલ્ધી સ્પર્ધા જોવા મળે છે. કોહલી અંગે બોલતા તેણે કહ્યું હતું કે, કોહલીના રેકોર્ડ્સ જ તેની મહાનતાની ચાડી ખાય છે. કોહલીએ ત્રણેય ફોર્મેટમાં જે રેકોર્ડ્સ નોંધાવ્યા છે અને જે ઈનિંગ્સ રમી છે તે શાનદાર છે.

મજબૂત ભારતીય ટીમનો સામનો કરીશું
સ્ટોક્સે સ્વીકાર્યું હતું કે ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચ્યું છે પરંતુ હજી સુધી તેણે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. જોકે, ભારત સામેની મોટી મેચમાં ટીમ કોઈ કચાશ રાખશે નહીં. અમે ગુરૂવારે ભારત સામે શ્રેષ્ઠ ક્રિકેટ રમવું પડશે તે અમે સારી રીતે જાણીએ છીએ. હાલમાં ભારતીય ટીમ અત્યંત મજબૂત છે. બોલિંગ અને બેટિંગ બંનેમાં તેની પાસે શ્રેષ્ઠ ખેલાડીઓ છે. પરંતુ અમે ભારતીય ટીમ કરતા અમારી ટીમ પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છીએ છીએ. નોંધનીય છે કે સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2માં ભારતીય ટીમ પાંચમાંથી ચાર મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *