રિકી પોન્ટિંગે મોહમ્મદ સિરાજની ઘણી પ્રશંસા કરી છે પરંતુ તેની નબળાઈ શું છે તે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે સિરાજ ખૂબ જ સ્પર્ધાત્મક છે પરંતુ કેટલીકવાર તે લાગણીઓમાં તણાઈ જાય છે. પરંતુ જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય ત્યારે ટીમમાં આવા ખેલાડીઓની જરૂર હોય છે. તેણે કહ્યું હતું કે સવારના પહેલા બોલથી બપોર સુધી તે 86 કે 87 માઈલની ઝડપે બોલિંગ કરતો હતો.
શોર્ટ પિચ બોલને બદલે ફૂલર લેન્થ બોલ
રિકી પોન્ટિંગે કહ્યું હતું કે ભારતીયોએ શોર્ટ પિચ બોલને બદલે ફુલ લેન્થ બોલ ફેંકવા જોઈએ. મને લાગે છે કે ભારતીય ટીમે પ્રથમ દિવસે પ્રથમ કલાકમાં ટૂંકા બોલ ફેંકીને પોતાનું નુકસાન કર્યું હતું. તેમની પાસે નવો ડ્યુક્સ બોલ હતો અને તે ફુલ લેન્થ બોલિંગ કરીને ફાયદો ઉઠાવી શક્યું હોત. લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયા ચારથી પાંચ વિકેટ ગુમાવી શક્યું હોત.
અશ્વિનને કોઈપણ ભોગે રમાડવો જોઈતો હતો
રિકી પોન્ટિંગે તે ચર્ચામાં પડવાની ના પાડી દીધી હતી કે ભારતે રવિચંદ્રન અશ્વિનને રમાડવો જોઈતો હતો કે નહીં. પરંતુ તેમ પણ કહ્યું હતું કે ચાર ઝડપી બોલર્સને ઉતારવાના નિર્ણયનો ભારતને પછીથી ફાયદો થઈ શકે છે. તેણે કહ્યું હતું કે, મને ખબર છે કે આના માટે કેપ્ટનની ટીકાઓ થઈ રહી છે, પરંતુ આ કેપ્ટનનો એકલાનો નિર્ણય ન હતો. મેં જોયું હતું કે કોચ રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા લાંબી વાતો કરી રહ્યા હતા. તેમણે પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો તો ચાર ઝડપી બોલર્સ સાથે મેદાનમાં ઉતરવાનું જ હતું. અત્યાર સુધી તેનો ફાયદો મળ્યો નથી પરંતુ મેચમાં હજી ઘણો સમય બાકી છે અને અત્યારે કોઈ નિર્ણય જાહેર કરવો જોઈએ નહીં.