IND vs SA: એકસમયે લોકોએ કહ્યો હતો ‘ખાલિસ્તાની’, હવે 1 ઓવરમાં 3 વિકેટ ઝડપી આપ્યો જવાબ
સૂર્યકુમાર અને કેએલ રાહુલના કર્યા વખાણ
આ સિવાય મેચમાં શાનદાર બેટિંગ કરનારા સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલના પણ તેણે વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે ‘શરૂઆતમાં બે વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને રાહુલની વચ્ચે જે પ્રકારની ભાગીદારી થઈ તે કમાલની હતી. શરૂઆતની વિકેટ પડી ગયા પછી, એક છેડો જાળવી રાખવો અને બીજા છેડેથી રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જે બંને બેટ્સમેને મળીને કર્યું’.
Ind vs SA T20: શિખર પર સૂર્યકુમાર યાદવ, તોડી નાખ્યો ધવનનો ચાર વર્ષ જૂનો રેકોર્ડ
આઠ વિકેટથી ભારતનો વિજય
જણાવી દઈએ કે, ટી20 સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મેચમાં ટીમ ઈન્ડિયાના બોલર્સે શરૂઆતથી જ કહેર વરસાવવાનું શરૂ કરી દીધું હતું અને અર્શદીપ તેમજ ચહરે સાથે મળીને 20 ઓવરમાં માત્ર 106 રન જ બનાવવા દીધા હતા. અર્શદીપે ત્રણ વિકેટ લીધી હતી, આ સિવાય દીપક અને હર્ષલ પટેલે બે-બે તો અક્ષર પટેલને એક સફળતા મળી હતી. મેચમાં સાઉથ આફ્રિકાના ચાર તેવા બેટ્સમેન હતા, જેઓ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.
સાઉથ આફ્રિકાના કેપ્ટને બેટ્સમેન પર ફોડ્યું ઠીકરું
હાર બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટન તેંબા બાવુમાએ હારનું ઠીકરું બેટ્સમેન પર ફોડતા કહ્યું હતું કે ‘એક ટીમ તરીકે અમે બેટિંગ કરવામાં નિષ્ફળ ગયા. અમે સ્થિતિ પ્રમાણે બેટિંગ કરી ન શક્યા કારણ કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેને તેમ કરી દેખાડ્યું. અમારા બોલરે પ્રયાસ કર્યો પરંતુ બેટ્સમેન રન જ નહોતા કરી શક્યા’.
Read Latest Cricket News And Gujarati News