હવે માત્ર 175 રન… વેસ્ટઇન્ડીઝ સામેની વનડેમાં ઇતિહાસ રચશે રોહિત શર્મા, સચિન સહિત અનેક ધૂરંધરો રહી જશે પાછળ
નવરાત્રિમાં સુરક્ષા સૌથી મોટો મુદ્દો
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘અમને સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન જેવી હાઈ પ્રોફાઈલ મેચ જોવા માટે લાખો લોકો અમદાવાદ પહોંચવાના છે, તેવામાં નવરાત્રિના કારણે તે તારીખ આગળ કરવામાં આવી શકે છે. અમે અમારી પાસે રહેલા તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ અને આ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવશે’.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ચાર મેચ
ગત મહિનાના અંતમાં આઈસીસીએ વર્લ્ડ કપ માટેના શિડ્યૂલની જાહેરાત કરી હતી. જે પ્રમાણે 1.30 લાખની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર મેચ રમાવામાં આવે છે. જેમાં ન્યૂઝીલેન્ડ vs ઈંગ્લેન્ડ વચ્ચેની મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે, જે બાદ ભારત vs પાકિસ્તાન, ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા તેમજ ફાઈનલ મેચ સામેલ છે. 10 ઓવરોમાં થનારા વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતામાં રમાશે.
3 વન-ડે, 5 ટેસ્ટ અને 8 ટી20… ટીમ ઈન્ડિયાનું માર્ચ સુધીનું શેડ્યુલ જાહેર, જાણો ક્યાં-ક્યાં રમાશે મેચ
હોટેલ પહેલાથી જ બુક
અમદાવાદના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મોટાભાગની હોટેલો મેચને લઈને અત્યારથી જ બુક થઈ ગઈ છે. હોમસ્ટે જેવા વિકલ્પ પણ ખતમ થઈ ચૂક્યા છે. મેચને લઈને ફ્લાઈટની ટિકિટમાં વધારો થવાની શક્યતા છે. જો ભારત-પાકિસ્તાનની મેચ કોઈ બીજા દિવસે શિફ્ટ થાય છે તો મોટા પ્રમાણેમાં ટિકિટ અને હોટેલ રૂમ કેન્સલ થશે. જે બાદ બુકિંગમાં વધારો પણ થઈ શકે છે.
બોર્ડે બોલાવી બેઠક
બીસીસીઆઈના સચિવ જય શાહે મંગળવારે રાતે વર્લ્ડ કપ મેચોનું હોસ્ટિંગ કરનારા એસોસિએશનને 27 જુલાઈએ નવી દિલ્હીમાં મીટિંગ માટે બોલાવ્યા છે. આ મીટિંગમાં બોર્ડના સભ્યોને અમદાવાદની આસપાસ સુરક્ષાની ચિંતા વિશે માહિતગાર કરવામાં આવી શકે છે, આ સાથે મેચ માટે નવી તારિખ નક્કી કરવામાં આવી શકે છે.
Read latest Cricket News and Gujarati News