Today News

ind vs pak t20 match, Ind vs Pak: ટીમ ઈન્ડિયાએ દેશને દિવાળી પર આપી રિટર્ન ગિફ્ટ, 264 દિવસ પછી લીધો હારનો બદલો – ind vs pak t20 wc: team india beat pakinstan by 4 wicket and take revange after 264 days

ind vs pak t20 match, Ind vs Pak: ટીમ ઈન્ડિયાએ દેશને દિવાળી પર આપી રિટર્ન ગિફ્ટ, 264 દિવસ પછી લીધો હારનો બદલો - ind vs pak t20 wc: team india beat pakinstan by 4 wicket and take revange after 264 days


મેલબોર્ન: ભારતે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લા દડા સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં પાકિસ્તાનને હરાવી દેશને દિવાળી ગિફ્ટ આપી છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ઐતિહાસિક બેટિંગને આખું પાકિસ્તાન યાદ રાખશે. આજથી 264 દિવસ પહેલા 2021માં મળેલી હારનો ભારતીય ટીમે બદલો લઈ લીધો છે. છેલ્લી ઓવરમાં ભારતને 16 રન જોઈતા હતા અને નવાઝની આ ઓવરમાં વાીટ, નૉ બોલ, છગ્ગો અને વિકેટ બધું જોવા મળ્યું અને આખરે ભારતીય ટીમે જીત મેળવી બે પોઈન્ટ્સ મેળવવાની સાથે, પાકિસ્તાનનું અભિમાન પણ ચકનાચૂર કરી દીધું. પાકિસ્તાને ભારતને જીત માટે 160 રનનું લક્ષ્ય આપ્યું હતું. જે ભારતે 6 વિકેટના ગુમાવીને પાર કરી લીધું હતું. ભારતની આ જીતમાં વિરાટ કોહલીએ ઘણી મોટી ભૂમિકા નિભાવી હતી. તેણે બેટિંગમાં આત્મવિશ્વાસ પાછો મેળવવાની સાથે 53 બોલમાં અણનમ 82 રન ફટકાર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 40 રન કરી આ આ જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. એક સમયે હારના ઉંમરે પહોંચી ગયેલી ભારતીય ટીમને કોહલી અને હાર્દિકની જોડીએ જીત સુધી પહોંચાડી હતી.

જીત માટેના 160 રનના લક્ષ્યના જવાબમાં ભારતની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. પરંતુ કોહલીએ એકલા હાથે લડતા છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 53 દડામાં અણનમ 82 રનની તોફાની ઈનિંગ્સ રમી પાકિસ્તાનને બેકફૂટ પર લાવી દીધું હતું અને ભારતને શાનદાર જીત અપાવી હતી. ભારતની પહેલી બે વિકેટ માત્ર 10 રનના સ્કોરે પડી ગઈ હતી. કેએલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્મા માત્ર 4-4 રન બનાવી આઉટ થઈ ગયા હતા. તે પછી વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ વચ્ચે સારી ભાગીદારી થતી દેખાઈ રહી હતી, ત્યારે જ સૂર્યકુમાર 15 રનના અંગત સ્કોરે આઉટ થઈ ગયો હતો.ત્યારબાદ અક્ષર પટેલ પણ 2 રને આઉટ થઈ ગયો હતો. તે પછી કોહલી સાથે હાર્દિક પંડ્યા જોડાયો હતો. બંનએ ભારતને જીતના દ્વાર સુધી પહોંચાડ્યું હતું. હાર્દિક પંડ્યા અંગત 40 રને આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 144 રને પહોંચ્યો હતો. તે પછી મેચમાં ઘણી જ રસાકસી સર્જાઈ હતી. દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરમાં અંગત 1 રને વિકેટ ગુમાવી દેતા ભારત હારવા પર આવી ગયું હતું. જોકે, રવિચંદ્ર અશ્વિને (1 રન) હોંશિયારીથી બેટિંગ કરી ભારતને જીત અપાવી હતી.

ભારતીય ટીમને છેલ્લી બે ઓવરમાં 31 રનની જરૂર હતી હારિસ રઉફે નાખેલી 19મી ઓવરના છેલ્લા દડે કોહલીએ બે છગ્ગા લગાવ્યા, જેથી છેલ્લી ઓવરમાં 16 રનનો ટાર્ગેટ રહી ગયો. છેલ્લી ઓવરના પહેલા જ દડે હાર્દિક પંડ્યાને મોહમ્મદ નવાઝે આઉટ કરી દીધો. બીજા દડે દિનેશ કાર્તિકે એક અને ત્રીજા દડે કોહલીએ બે રન લીધા. ચોથો દડો નોબોલ રહ્યો, જેના પર કોહલીએ છગ્ગો ફટકારી દીધો. હવે, ત્રણ દડામાં છ રન જોઈતા હતા. તે પછીનો દડો વાઈડ રહ્યો, તે પછી બાયના ત્રણ રન બન્યા, પરંતુ પાંચમા દડે કાર્તિક આઉટ થઈ ગયો. છેલ્લા દડે એક રન લઈને અશ્વિને ટીમને જીત અપાવી.

આ પહેલા ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમને અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાની શાનદાર બોલિંગના દમ પર ભારતે 8 વિકેટે 159 રન પર રોકી દીધું હતું. અર્શદીપે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી. તેણે પહેલી બે ઓવરમાં જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ (0 રન) અને મોહમ્મદ રિઝવાન (ચાર રન)ને આઉટ કરી ભારતને શાનદાર શરૂઆત અપાવી. તે પછી એશિયા કપમાં જબરજસ્ત પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાએ 30 રન આપી ત્રણ વિકેટ ઝડપી. પાકિસ્તા માટે ઈફ્તિખાર અહમદે 51 રન બનાવ્યા અને ભારતીય બોલરો સામે તે તદ્દન સહજ જોવા મળ્યો. સ્પિનર આર અશ્ચિન અને અક્ષર પટેલ સંઘર્ષ કરતા જોવા મળ્યા, જેથી છઠ્ઠા બોલર તરીકે પંડ્યાએ ચાર ઓવર નાખવી પડી.

પાકિસ્તાન તરફથી શાન મસૂદે 42 દડામાં 51 રનની ઈનિંગ્સ રમી હતી. શાન અને ઈફ્તિખારએ પાકિસ્તાનની ઈનિંગ્સને સંભાળી હતી અને સ્કોરને 159 સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. એ સિવાય પાકિસ્તાનનો કોઈ બેટર નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યો ન હતો. શાદાબ ખાન 5 રન, હૈદર અલી 2 રન, મોહમ્મદ નવાઝ 9 રન, આસિફ અલી 2 રન, શાહીન આફ્રિદી 16 રન અને હારિસ રાઉફે 6 રન બનાવ્યા હતા.

Exit mobile version