ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન વોર્નરે નિવૃત્તિ લીધી? પત્નીની રહસ્યમય પોસ્ટથી જાગી ચર્ચા
ભારત vs પાકિસ્તાનની મેચ શ્રીલંકામાં રમાશે
ડરબનમાં આઈસીસીની મીટિંગ પહેલા જય શાહ અને જકા અશરફ વચ્ચે એશિયા કપના શિડ્યૂલને ફાઈનલ કરવા માટે એક બેઠક યોજાઈ હતી. આ વાતને લઈને આઈપીએલના ચેરમેન અરુણ ધૂમલે એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમારા સેક્રેટરીએ પીસીબીના ડેટ જાકા અશરફ સાથે મુલાકાત કરી હતી અને એશિયા કપના શિડ્યૂલને અંતિમ ઓપ આપ્યો હતો. આ અગાઉ જે વાત કરવામાં આવી હતી તેના અનુરુપ છે. લીગ ચરણની ચાર મેચ પાકિસ્તાનમાં હશે, જ્યારે બાકીની મેચ શ્રીલંકામાં રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી બે મેચ પણ સામેલ છે. જો આ બે ટીમ ફાઈનલમાં પહોંચે છે તો તે પણ શ્રીલંકામાં જ થશે’.
MS Dhoniની સાથે આ એરપોર્ટ પર શું થયું? વાઈરલ વીડિયો જોઈ ફેન્સ પણ ચોંકી ગયા
‘ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જવાની નથી’
ભારતીય ટીમ પાકિસ્તાન જશે તે વાતને તેમણે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ‘આ પ્રકારની કોઈ વાત થઈ નથી. ટીમ ઈન્ડિયા કે સેક્રેટરી પાકિસ્તાન નહીં જાય. આ તો નક્કી જ છે’. ભારત શ્રીલંકાના દામ્બુલામાં પાકિસ્તાન સામે રમી શકે છે. પાકિસ્તાન પોતાની ધરતી પર એકમાત્ર ઘરેલુ મેચ નેપાળ સામે રમશે. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન vs બાંગ્લાદેશ, બાંગ્લાદેશ vs શ્રીલંકા, શ્રીલંકા vs અફઘાનિસ્તાન… તેમ ચાર મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તો તેની ટીમ વનડે વર્લ્ડ કપ ન્યૂટ્રલ વેન્યૂમાં રમશે. જો કે, હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત કોઈ પણ રીતે પાકિસ્તાન નહીં જાય.
50 ઓવરના ફોર્મેટની મેચ
આ વખતે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટ સાથે રમાશે. એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ભાગ લેવા જઈ રહ્યા છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે. તો શ્રીલંકા બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે. બંને ગ્રુપથી બે-બે ટીમ સુપર 4માં પહોંચશે. બાદમાં સુપર 4માં કુલ છ મેચ રમાશે. જે બાદ બે ટીમ ફાઈનલમાં જશે.
Read latest Cricket News and Gujarati News