ઈતિહાસ ભારતના પક્ષમાં નથી
ICC ટુર્નામેન્ટમાં પાછલા કેટલાક વર્ષોના ઇતિહાસ પર નજર કરીએ તો તે ભારતના પક્ષમાં નથી. ભારતીય ટીમ 2013 પછી અંતિમ બે તબક્કામાં નબળી સાબિત થઈ છે. 2014ના T20 વર્લ્ડકપની ફાઈનલમાં અને 2016ની સેમિફાઈનલમાં ભારતની હાર થઈ છે. રોહિત શર્માએ આ મેચો રમી છે જોકે, તે તેમાં કેપ્ટન નહોતો. માટે તેની છાતી પર આ હારનો ભાર ના હોવો જોઈએ. રોહિત નેટ પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયા પછી ફરી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. રોહિતે આ વર્લ્ડકપમાં રમાયેલી 5 મેચમાં માત્ર 89 રન બનાવ્યા છે. હવે તેના ટિકાકારોને જવાબ આપવા માટે આજે તેની પાસે શ્રેષ્ઠ તક છે.
બરાબરની ટક્કર થશે
વિરાટ કોહલીની ટક્કર ફરી એકવાર તેના ચિર પ્રતિદ્વંદ્વિ આદિલ રશીદ સામે થશે, જ્યારે સૂર્યકુમાર યાદવની પરીક્ષા સેમ કરણના કટર્સ સામે થશે, સ્ટોક્સની હરફનમૌલા ક્ષમતાનો સામનો હાર્દિક પંડ્યાએ કરવો પડશે. ઈંગ્લેન્ડના સ્ટાર બેન સ્ટોક્સે પહેલા જ સ્વીકારી લીધુું છે કે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો નથી. ભારતીય ટીમે એ સુનિશ્ચિત કરવું પડશે કે જોસ બટલર અને સ્ટોક્સ સેમિફાઈનલ મેચમાં ફોર્મમાં ના આવે. જ્યારે ઈંગ્લિશ ટીમ ઈચ્છશે કે રાશિદ ફરી કોહલીની સામે સફળતા મેળવે. T20 ઈન્ટરનેશનલમાં કોહલી રાશિદ સામે 59 બોલમાં માત્ર 63 રન જ બનાવી શક્યો છે, અને તેને બે વખત શિકાર પણ બનાવ્યો છે.
ભારતીય ટીમ ફાઈનલથી માત્ર એક જ ડગલું દૂર છે, આવામાં આજે ભારતની ઓપનિંગ જોડી કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ ઈચ્છશે કે તેઓ આજે સારી શરુઆત અપાવે કે જેથી ટીમ મજબૂત સ્થિતિમાં ઈંગ્લેન્ડનો સામનો કરીને વર્લ્ડકપની ફાઈનલમાં એન્ટ્રી કરી લે, આ વર્લ્ડકપમાં હિટમેન રોહિતનો કમાલ જોવા મળ્યો નથી, આવામાં રાહુલે પણ તેના રિયલ અંદાજને રૂજ કર્યો નથી. આજે આ બન્ને ખેલાડીઓ એ નિર્ધાર સાથે મેદાનમાં ઉતરશે કે ભારતીય ટીમ મજબૂત સ્થિતમાં લડીને પાકિસ્તાન સામે ફાઈનલની જંગમાં ઉતરે.