શાર્દુલ ઠાકુરને પહેલી વન-ડેમાં બોલિંગ કરવામાં તકલીફ પડી રહી હતી. જેથી તે બીજી વન-ડેમાં નહીં રમે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વન-ડે સીરિઝ પછી ટેસ્ટ શ્રેણીમાં પણ રમાવાની છે, એવામાં ટીમ મેનેજમેન્ટ કોઈ રિસ્ક નથી લેવા માગતું. શાર્દુલને આરામ આપી જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિક (Umran Malik)ને તક આપવામાં આવી શકે છે. ઉમરાન મલિકે ભારત માટે અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ વન-ડે રમી છે. આ દરમિયાન તેણે ત્રણ વિકેટ ઝડપી છે. ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં જ પૂરી થયેલી વન-ડે સીરિઝમાં ઉમરાને ડેબ્યુ કર્યું હતું.
બીજી વન-ડેની સંભવિત ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, શહબાઝ અહમદ, ઉમરાન મલિક, દીપક ચાહર, કુલદીપ સેન, મોહમ્મદ સિરાજ
બાંગ્લાદેશ સામે બીજી વન-ડેમાં ઉમરાન મલિકને મળી શકે છે તક.
ભારત-બાંગ્લાદેશનો કાર્યક્રમ
પહેલી વન-ડે: બાંગ્લાદેશ 1 વિકેટથી જીત્યું
બીજી વન-ડે: 7 ડિસેમ્બર, મીરપુર
ત્રીજી વન-ડે: 10 ડિસેમ્બર, ચટગાંવ
પહેલી વન-ડેમાં પહેલા બેટિંગ કરતા ભારતની ટીમ માત્ર 186 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કે એલ રાહુલ (73 રન) સિવાય બીજો કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. બાગ્લાદેશના ઈબાદત હોસેને 4 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઈન અપની કમર ભાંગી નાખી હતી. જીત માટેનો 187 રનનો ટાર્ગેટ બાંગ્લાદેશે 1 વિકેટ બાકી હતી ત્યારે પાર કરી લીધો હતો. ઘણી રસાકસીભરી રહેલી આ મેચમાં મેહદી હસને ભારતીય ટીમના મોંમાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. તેણે 39 દડામાં 38 રન બનાવી અણનમ રહીને એક છેડો સાચવી રાખ્યો હતો અને બાંગ્લાદેશને જીત અપાવી હતી.