હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
હરભજન સિંહે શેર કર્યો વીડિયો
હરભજન સિંહે જે વીડિયો શેર કર્યો છે, તેમાં જોઈ શકાય છે કે લંડનના રસ્તા પર એક આર્ટિસ્ટ વાયલોન પર શાહરુખ ખાનની ફિલ્મ ‘કલ હો ના હો’ના ટાઈટલ ટ્રેકની ટ્યૂન વગાડી રહ્યો છે, તો શ્રીસંત અને તે સાથે-સાથે સોન્ગ ગાઈ રહ્યા છે અને કિંગખાનનો સિગ્નેચર પોઝ પણ આપી રહ્યા છે. કેપ્શનમાં લખ્યું છે ‘હર પલ યહાં જી ભર જીઓ. અમે બધા ખાન સાબ @iamsrkના ફેન છીએ’. આ ક્લિપમાં હરભજન પોતાના હાથમાં રહેલી શોપિંગ બેગ નીચે મૂકે દે છે, આ વાતને ધ્યામાં રાખી તેની પત્ની ગીતા બસરાએ કોમેન્ટ કરતાં લખ્યું ‘જમીન પર રહેલી તારી શોપિંગ બેગ ભૂલી ન જતો’, બંનેના કોમન ફ્રેન્ડ જોગી શર્માએ કોમેન્ટ કરી ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે, તમને બંનેને સાથે જોઈને સારું લાગ્યું’, પૂજા ભટ્ટે લખ્યું છે ‘તું સારો લાગી રહ્યો છે શ્રી.. મારો અર્થ અહીં શારીરિક રીતે નથી. તું અંદરથી ચમકી રહ્યો છે. તમને ખુશ જોઈને મને પણ ખુશી થઈ રહી છે’, મેચ રિપ્રેઝન્ટેટર શેફાલી બગ્ગાએ લખ્યું ‘હું જેને જાણું છું તેવી બે શ્રેષ્ઠ વ્યક્તિ’. બંનેના કેટલાક ફેન્સે મજાક કરતાં હરભજનને ‘પાજી હવે અહીંયા થપ્પડ ન મારતા’ તેમ લખ્યું.
IND vs WI: પાંચ ખેલાડી જેમને આગામી ટેસ્ટ સીરિઝમાં મળી શકે છે તક! આ દિગ્ગજોની થશે હકાલપટ્ટી
2008માં આઈપીએલ વખતે હરભજને મારી હતી થપ્પડ
હરભજન સિંહ જ્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો ત્યારે તે મેદાન પર મોટાભાગે શાંત જોવા મળતો હતો પરંતુ એકવાર કંઈક એવુ થયું હતું કે તે પોતાના પર કાબૂ રાખી શક્યો નહોતો. વાત વર્ષ 2008ની છે. આ આઈપીએલની પહેલી સીઝન હતી. હરભજન મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો જ્યારે શ્રીસંત આ સીઝનમાં પંજાબ કિંગ્સ ઈવેલન તરફથી રમતો હતો. આ સીઝનમાં મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ દરમિયાન મેદાન પર બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. હરભજન પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો નહોતો અને શ્રીસંતને થપ્પડ મારી હતી, જે બાદ તે રડ્યો હતો. આ ઘટનાને લઈને ઘણો હોબાળો થયો હતો. બંને વચ્ચે ઘણા સમય સુધી વાતચીત થઈ નહોતી. જો કે, હરભજનને પોતાની ભૂલ સમજાતા માફી માગી હતી તો શ્રીસંતે પણ તેને માફ કર્યો હતો.
WTC Final: વિરાટ કોહલીના શોટ પર શું કહેશો? એન્કરના સવાલ પર ભડકી ગયા સુનીલ ગાવસ્કર
અમે હંમેશાથી મિત્રો હતાઃ શ્રીસંત
જે બાદ હરભજન સિંહ અને શ્રીસંત બંને સારા મિત્રો બની ગયા હતા. આઈપીએલ 2023 દરમિયાન પણ બંને વચ્ચે સારી જુગલબંધી જોવા મળી હતી. આ વર્ષની શરૂઆતમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં શ્રીસંતે કહ્યું હતું કે ‘અમે હંમેશાથી મિત્રો રહ્યા છીએ. તે માત્ર ગેરસમજણ હતી અને મીડિયાએ તેને ખેંચીને લાંબુ કર્યું. હું માત્ર એટલું જ કહેવા માગુ છું કે, ભજ્જી પાએ શરૂઆતથી હંમેશા મને સપોર્ટ કર્યો છે. હું હંમેશા તેમનો આભારી રહીશ. એક સોન્ગ છે ‘તેરે જેસા યાર કહાં’ મારા તેમની સાથે આ પ્રકારના સંબંધો છે’.
Read latest Cricket News and Gujarati News