gautam gambhir, માર્કેટિંગે ધોનીને હીરો બનાવ્યો, યુવરાજે જીતાડ્યા હતા બંને વર્લ્ડ કપઃ ફરીથી ભડક્યો ગૌતમ ગંભીર - ms dhoni and his pr team made him hero of 2007 and 2011 world cup says gautam gambhir

gautam gambhir, માર્કેટિંગે ધોનીને હીરો બનાવ્યો, યુવરાજે જીતાડ્યા હતા બંને વર્લ્ડ કપઃ ફરીથી ભડક્યો ગૌતમ ગંભીર – ms dhoni and his pr team made him hero of 2007 and 2011 world cup says gautam gambhir


દરેક મુદ્દા પર બિન્દાસ્ત રીતે પોતાનો મત વ્યક્ત કરનાર ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ફરી એકવાર ચર્ચામાં છે. ગૌતમ ગંભીરે ભારતીય ક્રિકેટરોની લાર્જર ધેન લાઈફ ઈમેજ સામે વાંધો ઉઠાવ્યો છે. ગંભીરનું માનવું છે કે ભારતમાં ક્રિકેટરોને ટીમ કરતા મોટા બનાવવામાં આવે છે. બાદમાં તેમની પૂજા થવા લાગે છે જે તદ્દન ખોટું છે. જો ગંભીરનું માનીએ તો વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓને બ્રોડકાસ્ટર્સ અને મીડિયાએ હીરો બનાવી દીધા છે જ્યારે પ્રદર્શન કરનારા અન્ય ખેલાડીઓ પ્રત્યે જેટલું જોઈએ તેટલું ધ્યાન આપવામાં આવ્યું નથી. એટલે કે માત્ર નામ જ નહીં કામ પણ જોવું જોઈએ. ગૌતમ ગંભીર આટલું કહીને જ ન હતો અટક્યો, પરંતુ તેણે મહેન્દ્ર સિંહ ધોની પર તેનું નામ લીધા વગર મોટો આરોપ લગાવ્યો હતો.

ગૌતમ ગંભીરે કહ્યું કે એક માણસની પીઆર ટીમે તેને 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનો હીરો બનાવ્યો છે. જ્યારે હકિકત એ છે કે આ બંને વર્લ્ડ કપ યુવરાજ સિંહે જીત્યા હતા. મને ખરેખર અફસોસ છે કે જ્યારે આપણે 2007 અને 2011ની વર્લ્ડ કપ જીતની વાત કરીએ છીએ ત્યારે યુવરાજ સિંહનું નામ નથી આવતું. આ માત્ર માર્કેટિંગ અને PR ટીમનું કામ જે એક ખેલાડીને સૌથી મોટો અને અન્યને સૌથી નાના બનાવે છે.

ગૌતમ ગંભીર વધારેમાં જણાવ્યું હતું કે કોઈ અંડરરેટેડ નથી હોતો, પરંતુ આ PR અને માર્કેટિંગના લોકો બોલી બોલીને તેમને અંડરરેટેડ બનાવે છે. કોઈ પણ ટીમ માત્ર એક ખેલાડીના આધારે આખી ટુર્નામેન્ટ જીતી શકતી નથી. જો આવું હોત તો ભારતે 5-10 વર્લ્ડ કપ જીત્યા હોત. આ એક ટીમ ગેમ અને સામૂહિક પ્રયાસ છે. જે ખેલાડીનું નામ મીડિયા વારંવાર રીપીટ કરે છે તે જ ખેલાડી હીરો બની જાય છે.

ગૌતમ ગંભીર 2023માંથી 1983 સુધી પોતાની વાત જણાવી હતી અને ભારત માટે પ્રથમ વર્લ્ડ કપ જીતનારી ટીમનો ઉલ્લેખ કર્યો હતો. ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ખેલાડીને ટીમથી ઉપર રાખવાની શરૂઆત 1983થી જ થઈ હતી. દરેક વ્યક્તિ કપિલ દેવની વાત કરે છે પણ મોહિન્દર અમરનાથને કેટલા લોકો યાદ કરે છે. દરેક વખતે મીડિયામાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે કપિલ પાજીનો જ ફોટો હોય છે. તે વર્લ્ડ કપમાં મોહિન્દર અમરનાથનું પ્રદર્શન કેવું હતું? તે ફાઈનલમાં મેન ઓફ ધ મેચ રહ્યા હતા. ક્યારેક વર્લ્ડ કપ ટ્રોફીની સાથે તેનો ફોટો પણ મીડિયામાં દેખાડવો જોઈએ.

નોંધનીય છે કે ગૌતમ ગંભીર અવારનવાર મીડિયામાં મહેન્દ્ર સિંહ ધોની માટે નિવેદનો આપતો રહે છે. ગંભીર ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ જીતેલા બે વર્લ્ડ કપની ટીમનો ભાગ રહ્યો હતો. ગંભીર 2007ના ટી20 વર્લ્ડ કપ અને 2011ના વન-ડે વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *