Today News

coach rahul dravid, ફ્લોપ છતાં રાહુલ અને સૂર્યકુમાર વર્લ્ડ કપમાં રમશે! સંજૂ સેમસનને ફરીથી નિરાશા મળશે? – we have narrowed it down to 17 18 players for world cup squad says india head coach rahul dravid

coach rahul dravid, ફ્લોપ છતાં રાહુલ અને સૂર્યકુમાર વર્લ્ડ કપમાં રમશે! સંજૂ સેમસનને ફરીથી નિરાશા મળશે? - we have narrowed it down to 17 18 players for world cup squad says india head coach rahul dravid


ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના કેપ્ટન-કોચનો યુગ સમાપ્ત થઈ ગયો છે. ત્યારબાદ છેલ્લા દોઢ વર્ષમાં જાહેરમાં સૌથી વધારે સંવાદ કરતો કોઈ ખેલાડી છે તો તે છે કેપ્ટન રોહિત શર્મા. આ સ્વાભાવિક છે કેમ કે જ્યારે તમે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન છો તો તમારે પ્રત્યેક મેચ પહેલા અને પછી પત્રકારો સાથે વાતચીત કરવી પડે છે. પરંતુ કોહલીના કાર્યકાળમાં શાસ્ત્રી પત્રકારો સામે વધારે હાજર રહેતા ન હતા, જેટલા હાલમાં કોચ રાહુલ દ્રવિડ રહે છે. ટીમ ઈન્ડિયાની ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવામાં પસંદગી સમિતિથી વધારે મહત્વની ભૂમિકા કોચ દ્રવિડ નિભાવી રહ્યા છે. અને તેથી જ મુખ્ય પસંદગીકાર ન હોવા છતાં કોચનું તે કહેવું છે કે તેમણે દેશમાં રમાનારા આગામી વન-ડે વર્લ્ડ કપ માટે 17-18 ખેલાડીઓ પસંદ કરી લીધા છે.

દ્રવિડે ચેન્નઈમાં કહ્યું હતું કે મને લાગે છે કે જો ભવિષ્ય માટે જોવામાં આવે તો અમે જે ટીમ અને ખેલાડીઓ ઈચ્છીએ છીએ તેને લઈને અમે સ્પષ્ટ છીએ. અમે 17-18 ખેલાડીઓ પસંદ કરી લીધા છે. અમારી પાસે કેટલાક ખેલાડી છે જેઓ ઈજામુક્ત થઈ રહ્યા છે. તેમની રિકવરી જોતા તેઓ ફ્રેમમાં આવી શકે છે. જોકે, જોવાનું તે રહેશે કે તેઓ કમબેક માટે કેટલો સમય લે છે. એકંદરે અમે તેને લઈને સ્પષ્ટ છીએ કે અમે કેવી ટીમ ઈચ્છીએ છીએ.

હવે કોચ દ્રવિડના આ નિવેદન બાદ સંજૂ સેમસનને ચોક્કસથી નિરાશા થઈ હશે. કેમ કે વર્તમાન ટીમ પસંદગી જોતા એવું લાગી રહ્યું છે કે સેમસન વન-ડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના પ્લાનનો હિસ્સો નથી. પરંતુ જસપ્રિત બુમરાહ, શ્રેયસ ઐય્યર કે પછી સૂર્યકુમાર યાદવ છે તો કદાચ કોચની વાતથી તેમને રાહત મળી હશે.

સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય વન-ડેમાં ખાતું ખોલાવી શક્યો ન હતો. પરંતુ દ્રવિડને તેની કોઈ ચિંતા કે દરકાર નથી. દ્રવિડનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવ હજી વન-ડે ક્રિકેટ શીખી રહ્યો છે. ટી20 ફોર્મેટ અલગ હોય છે. સૂર્યકુમાર લાંબા સમયથી ટી20 ક્રિકેટ રમી રહ્યો છે. તે 10 વર્ષથી આઈપીએલમાં રમી રહ્યો છે. આઈપીએલ એક ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ જેવી છે અને સૂર્યકુમારે તેમાં અત્યંત દબાણમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ તેને વન-ડે ક્રિકેટ રમવાની વધારે તક મળી નથી. તેથી તેને થોડો સમય આપવાની જરૂર છે. આમ દ્રવિડે સૂર્યકુમારનું સમર્થન કર્યું છે અને સંકેત પણ આપી દીધો છે કે તે વન-ડે ટીમનો ભાગ રહેશે.

પરંતુ સંજૂ સેમસનના ફેન્સ કદાચ કોચ દ્રવિડના આ તર્કથી સહમત નહીં હોય. કેમ કે એક ખેલાડી સતત નિષ્ફળ જઈ રહ્યો હોવા છતાં રમવાની તક મળતી રહી છે. લોકેશ રાહુલને સતત તક આપવામાં આવી રહી છે જ્યારે શાનદાર રેકોર્ડ હોવા છતાં સંજૂ સેમસનને ટીમની બહાર રહેવું પડે છે. જેના કારણે તે વર્લ્ડ કપની ટીમ માટે પોતાની દાવેદારી પણ રજૂ કરી શકતો નથી.

Exit mobile version