Today News

cheteshwar pujara, Cheteshwar Pujara: કોહલી-રોહિતને પાછળ છોડી પુજારા રચશે ઈતિહાસ! સચિન-દ્રવિડના એલીટ ક્લબમાં થશે સામેલ – ind vs aus border gavaskar trophy cheteshwar pujara is nine run away to complete 2000

cheteshwar pujara, Cheteshwar Pujara: કોહલી-રોહિતને પાછળ છોડી પુજારા રચશે ઈતિહાસ! સચિન-દ્રવિડના એલીટ ક્લબમાં થશે સામેલ - ind vs aus border gavaskar trophy cheteshwar pujara is nine run away to complete 2000


નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara) ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની (Border–Gavaskar Trophy) દિલ્હી ટેસ્ટમાં કરિયરની 100મી ટેસ્ટ રમીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તે આ કારનામું કરનારો 13મો ભારતીય ખેલાડી બન્યો હતો. આ સાથે હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી સીરિઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં પુજારા એક મોટી ઉપલબ્ધિ મેળવી લેશે. વાત એમ છે કે, તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાના 2 હજાર રન પૂરા કરવાથી હવે માત્ર નવ રન જ દૂર છે. જો તેણે અમદાવાદમાં નવ રન બનાવી લીધા તો તે એક જબરદસ્ત રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આ કામ અત્યારસુધીમાં વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) પણ કરી શક્યા નથી. ચેતેશ્વરે બીજીટીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 23 ટેસ્ટમાં 11 અડધી સદી અને 5 સદીની મદદથી 1191 રન બનાવ્યા છે. તેનો સૌથી બેસ્ટ સ્કોર 204 રન છે.

‘ભીગે ચુનર વાળી રંગ બરસે..’ વિરાટ કોહલીએ કર્યો જોરદાર ડાન્સ, ગુલાલ ઉડાડતો રહ્યો રોહિત શર્મા

ચેતેશ્વર પૂજારા પાસે રેકોર્ડ બનાવવાની તક
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં અત્યારસુધીમાં માત્ર પાંચ જ બેટ્સમેને 2 હજાર રન કર્યા છે, જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, રિકી પોંટિંગ અને માઈકલ ક્લાર્કનું નામ સામેલ છે. જો કે, સચિન આ લિસ્ટમાં 3262 રન સાથે ટોપ પર છે, ત્યારબાદ બીજા સ્થાન પર 2434 રન સાથે લક્ષ્મણ, 2142 રન સાથે ત્રીજા નંબર પર દ્રવિડ જ્યારે ચોથા નંબર પર રિંકી પોંટિંગ અને પાંચમા નંબર પર ક્લાર્ક અનુક્રમે 2555 અને 2029 રન સાથે છે. તો પુજારા પણ આ ખેલાડીઓના એલીટ ક્લબમાં સામેલ થશે.

ઈન્દોરની કારમી હાર પછી અ’વાદની પિચનું ગણિત તૈયાર થશે, 20 વિકેટ પડશે કે રનનો થશે વરસાદ!

WTCના ફાઈનલમાં પહોંચવા ભારતે જીતવી પડશે છેલ્લી મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી સીરિઝની વાત કરીએ તો, પહેલી બે મેચમાં યજમાન ટીમની જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચ મહેમાન ટીમના પક્ષમાં રહી હતી. આ સાથે તે નવ વિકેટથી જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપના ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. અંતિમ મેચ 9 માર્ચથી શરૂ થવાની છે. ભારતની તમામ આશા આ ટેસ્ટ પર ટકેલી છે. જો આ મેચમાં જીત મળી તો ભારત માટે ડબલ્યૂટીસીના ફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રહેશે.

ત્રીજી મેચમાં હાર પર ટીમ પર ભડક્યા સુનીલ ગાવસ્કર
ઈંદોરમાં રમાયેલી ત્રીજી મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ભડક્યા હતા. તેમણે કહ્યું હતું કે, મેચમાં દેશના ખેલાડીઓમાં આત્મવિશ્વાસની કમી હોવાનું તેમને જોઈને સ્પષ્ટ દેખાતો હતું. તેમણે પહેલાથી જ પિચને મગજ પર હાવી થવા દીધી હતી. બીજી ઈનિંગમાં તેની અસર થોડી વધારે જ દેખાઈ હતી.

Read latest Cricket News and Gujarati News

Exit mobile version