Today News

cheteshwar pujara, ચેતેશ્વર પૂજારાની કારકિર્દીનો આવી ગયો અંત, ધરાશાયી થઈ ટીમ ઈન્ડિયાની ‘દિવાલ’? – india tour west indies cheteshwar pujara dropped of india test team

cheteshwar pujara, ચેતેશ્વર પૂજારાની કારકિર્દીનો આવી ગયો અંત, ધરાશાયી થઈ ટીમ ઈન્ડિયાની 'દિવાલ'? - india tour west indies cheteshwar pujara dropped of india test team


વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ભારતીય ટીમમાંથી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટર ચેતેશ્વર પૂજારાને બહાર કરી દેવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ બાદ એક સમયે ચેતેશ્વર પૂજારાને ટીમ ઈન્ડિયાની ‘દિવાલ’ કહેવા આવતો હતો, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી પૂજારા આઉટ ઓફ ફોર્મ હતો. તેને વારંવાર તક આપવામાં આવી પરંતુ તે અપેક્ષા પ્રમાણેનો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જેના કારણે હવે તેને ટીમની બહાર કરી દેવામાં આ્યો છે.

આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ મેનેજમેન્ટ 35 વર્ષીય પૂજારાનો વિકલ્પ શોધી રહ્યું છે. આ જ કારણથી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કેટલાક યુવાન ખેલાડીઓને તક આપવામાં આવી છે. પૂજારાની બેટિંગને લઈને ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. ટીમમાં તેની જે જવાબદારી હતી તે નીભાવવામાં તે નિષ્ફળ રહ્યો હતો.

ત્રણ વર્ષ બાદ ફટકારી હતી સદી
પૂજારાના ખરાબ ફોર્મનો અંદાજ તે વાત પરથી આવી જાય છે કે તેણે 2019 બાદ ગત વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી હતી. આ ટેસ્ટ ક્રિકેટમાં તેણે 1443 દિવસ બાદ સદી ફટકારી હતી. પૂજારાએ વિદેશી ધરતી પર ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં ભારતના ઐતિહાસિક ટેસ્ટ સીરિઝ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં તેની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં તેની ખરાબ બેટિંગ તેના માટે ટીમમાંથી બહાર થવાનું કારણ બની.

103 ટેસ્ટમાં 19 સદી અને 35 અડધી સદી
સૌરાષ્ટ્રનો સ્ટાર પૂજારા ભારત માટે 103 ટેસ્ટ મેચ રમ્યો છે જેમાં તેણે 43.60ની એવરેજથી 7195 રન નોંધાવ્યા છે. જેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. પૂજારાએ ભારત માટે ઘણી યાદગાર અને મેચ વિનિંગ ઈનિંગ્સ પણ રમી છે.

પૂજારાના સ્થાને ત્રીજા નંબર પર હવે કોણ?
ચેતેશ્વર પૂજારા ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે ટીમમાં ત્રીજા ક્રમે કોણ રમશે. ટેસ્ટ ટીમમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે શુભમન ગિલ પણ એક વિકલ્પ હોઈ શકે છે. જોકે, ગિલ જ્યારે ઓપનિંગમાં ન રમે ત્યારે તે ત્રીજા ક્રમે રમી શકે છે. જયસ્વાલ અને ગાયકવાડ બંને ઓપનર બેટર છે. તેવામાં હવે ટીમ ઈન્ડિયા ત્રીજા ક્રમે કયા બેટરની પસંદગી કરે છે તે જોવાનું રહેશે.

Exit mobile version