Today News

captain rohit sharma, IND vs AUS: કેમ હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન રોહિતે જણાવ્યું કારણ, મેચ બાદ વ્યક્ત કર્યો ગુસ્સો – india vs australia 3rd test 2023 captain rohit sharma stated the reason of defeat and expressed his anger after the match

captain rohit sharma, IND vs AUS: કેમ હારી ટીમ ઈન્ડિયા? કેપ્ટન રોહિતે જણાવ્યું કારણ, મેચ બાદ વ્યક્ત કર્યો ગુસ્સો - india vs australia 3rd test 2023 captain rohit sharma stated the reason of defeat and expressed his anger after the match


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ ક્રિકેટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પ્રથમ બે મેચમાં વિજય નોંધાવ્યા બાદ ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતનો 9 વિકેટે પરાજય થયો છે. ત્રીજી ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ઈન્દોર ટેસ્ટમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું હતું. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે ઓસ્ટ્રેલિયા સામે 76 રનનો આસાન લક્ષ્યાંક મૂક્યો હતો. જેને ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે પ્રથમ ઈનિંગ્સમાં 109 રનમાં ઓલ-આઉટ થઈ જવું તે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. જોકે, ભારતીય ટીમ હાલમાં ચાર ટેસ્ટની સીરિઝમાં 2-1થી આગળ છે.

પ્રથમ દાવમાં રન ન નોંધાવી શક્યા તે હારનું મોટું કારણ
મેચ બાદ રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની હારનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, જ્યારે તમે એક ટેસ્ટ મેચ હારો છો તો ઘણી બધી બાબતો હોય છે જે તમારા પક્ષમાં હોતી નથી. અમે પ્રથમ ઈનિંગ્સમાં સારી બેટિંગ કરી શક્યા ન હતા તે તો સ્પષ્ટ વાત છે. અમે સમજીએ છીએ કે રન નોંધાવવા કેટલું મહત્વનું છે. એક વખત તેમણે 80-90 રનની સરસાઈ મેળવી લીધી તો અમારે એક મોટી ઈનિંગ્સ રમવાની હતી પરંતુ અમે તેવું કરી શક્યા નહીં. અમે પ્રથમ ઈનિંગ્સમાં સારી બેટિંગ કરી હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. અમે આ વિશે વિચાર કરીશું.

રોહિત શર્માએ તે પણ જણાવ્યું હતું કે, આ અંગે વિચારવા માટે થોડો સમય છે. અમારે તે સમજવાની જરૂર છે કે પિચ કોઈ પણ પ્રકારની હોય પરંતુ અમારે સારું પ્રદર્શન કરવું પડશે. જ્યારે તમે પડકારજનક પિચો પર રમી રહ્યા હોવ છો તો તમારે સાહસ દેખાડવું પડશે. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયન બોલર્સે યોગ્ય લેન્થ પર બોલિંગ કરી હતી જેણે અમારા બેટર્સને મુશ્કેલીમાં મૂક્યા હતા.

રોહિત શર્માએ નાથન લાયનની પ્રશંસા કરી
ઓસ્ટ્રેલિયાના વિજયમાં તેના અનુભવી સ્પિનર નાથન લાયનનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. નાથન લાયને બીજા દાવમાં 8 વિકેટ ઝડપી હતી જેના કારણે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં પણ મોટો સ્કોર કરી શકી ન હતી. મેચ બાદ રોહિત શર્માએ જણાવ્યું હતું કે તેણે એક જ જગ્યા પર બોલિંગ કરી હતી જેના કારણે તે સફળ રહ્યો. હું ઈચ્છું છું કે અમારા ખેલાડી આવા પડકારોનો સામનો કરવા સજ્જ બને. અમે ચોક્કસથી ખરાબ પ્રદર્શન કર્યું છે. ઈન્દોરમાં અમે અમારી યોજનાઓમાં નિષ્ફળ રહ્યા. નોંધનીય છે કે નાથન લાયન ટેસ્ટ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. તેણે ભારત સામે 113 વિકેટ ઝડપી છે અને તેણે શ્રીલંકન લિજેન્ડ મુથૈયા મુરલીધરનના રેકોર્ડને તોડી નાંખ્યો છે.

Exit mobile version