પ્રથમ બેટિંગ કરતા જસપ્રિત બુમરાહની કેપ્ટન્શિપમાં ભારતીય ટીમે 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. આ પછી આયર્લેન્ડ 152 રન પર જ સિમિત થઈ ગયું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ 33 રને મેચ જીતી લીધી હતી. તે જ સમયે, આ મોટી જીત બાદ કેપ્ટન જસપ્રિત બુમરાહે પણ મોટું નિવેદન આપ્યું છે.
આ છે સૌથી મોટો માથાનો દુખાવો – જસપ્રિત બુમરાહ
આયરલેન્ડમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા જસપ્રિત બુમરાહે ખુલાસો કર્યો કે તેના માટે સૌથી મોટો માથાનો દુખાવો શું છે. તેણે કહ્યું કે પ્લેઈંગ 11 પસંદ કરવી સૌથી મુશ્કેલ છે. તેણે કહ્યું, ‘મને સારું લાગે છે. આજનો દિવસ થોડો ડ્રાય હતો. અમને લાગ્યું કે પિચ ડ્રાય થઈ જશે અને પછી ધીમી પડતી રહેશે જેથી બેટિંગમાં મુશ્કેલી થશે. આ ખૂબ જ અદ્ભુત છે. પ્લેઇંગ 11 પસંદ કરવી મુશ્કેલ છે. મોટા માથાનો દુખાવા સમાન છે. દરેક વ્યક્તિ જિજ્ઞાસુ છે. દરેક વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે.
અમે બધા ભારત માટે રમવા માંગીએ છીએ. છેવટે, દરેક વ્યક્તિએ પોતાની રીતે વસ્તુઓ કરવાની છે. જો તમે અપેક્ષાઓ સાથે રમો છો, તો તમે દબાણમાં છો. તમારે એ અપેક્ષાઓ બાજુ પર રાખવી પડશે. જો તમે આટલી બધી અપેક્ષાઓ સાથે રમી રહ્યા છો તો તમે તમારી જાત સાથે 100 ટકા ન્યાય નથી કરી રહ્યા.
જસપ્રીત બુમરાહે પ્રથમ મેચમાં બે વિકેટ લઈને ઈજામાંથી શાનદાર વાપસી કરી હતી . તે જ સમયે, બુમરાહે ચાર ઓવરના સ્પેલમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. બુમરાહ અત્યારે સંપૂર્ણ રીતે પોતાની લયમાં જોવા મળી રહ્યો છે. તે એશિયા અને વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક બનવા જઈ રહ્યો છે.