તિલક વર્મા
પસંદગી સમિતિએ ટીમ ઈન્ડિયાના યુવા ડેશિંગ બેટ્સમેન તિલક વર્મા પર સૌથી મોટો દાવ રમ્યો છે. તિલક વર્માએ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણી દ્વારા પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કર્યો છે. તેણે રમેલી 5 મેચોમાં 50થી ઉપરની એવરેજથી 173 રન નોંધાવ્યા હતા. તેના પ્રદર્શનના કારણે તેની એશિયા કપમાં પસંદગી કરવામાં આવી છે. જોકે, તિલક વર્માએ હજુ વન-ડેમાં ડેબ્યુ કર્યું નથી. તેને કોઈપણ અનુભવ વગર ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જો કે તેની રમત જોઈને આશા રાખવામાં આવે છે કે તે વનડેમાં પણ સારો દેખાવ કરશે.
લોકેશ રાહુલ
ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી બેટ્સમેન કેએલ રાહુલ IPL 2023થી ઈજાગ્રસ્ત છે. જોકે તે પોતાની જૂની ઈજામાંથી સાજો થઈ ગયો છે. જેના કારણે તેની એશિયા કપમાં પસંદગી થઈ હતી. પરંતુ એશિયા કપની ટીમ જાહેર કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે જણાવ્યું હતું કે તેને હવે નિગલની સમસ્યા થઈ છે અને તે અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી. પરંતુ તેણે એમ પણ કહ્યું હતું કે રાહુલ ટુર્નામેન્ટની મધ્ય સુધી ફિટ રહી શકે છે. તેના બેકઅપ તરીકે સંજુ સેમસનને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યર
અનુભવી મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ કેએલ રાહુલની જેમ ઈજાગ્રસ્ત હતો. પીઠની ઈજાને કારણે તે IPL 2023 પણ રમી શક્યો નહોતો. તેણે સર્જરી પણ કરાવી હતી. સર્જરી પછી ઐય્યરે NCAમાં રિહેબિલિટેશન કર્યું હતું. તેણે પ્રેક્ટિસ મેચમાં બેટિંગ અને ફિલ્ડિંગ પણ કરી હતી. તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે. પરંતુ ઈજા બાદ અય્યર સીધો એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રમશે. આ મેગા ઈવેન્ટ પહેલા તેને કોઈ રમતનો સમય મળ્યો ન હતો. જેમ કે જસપ્રીત બુમરાહ હાલમાં આયર્લેન્ડમાં એશિયા કપ માટે લયમાં છે. અય્યર તો સીધો ટુર્નામેન્ટમાં રમવા જશે. આવી સ્થિતિમાં કોઈ પણ મેચ રમ્યા વિના ઐયરને એશિયા કપ માટે સીધો પસંદ કરવો મોટું જોખમ સાબિત થઈ શકે છે.