all rounder kieron pollard, વિસ્ફોટક ઓલ-રાઉન્ડરે IPLમાંથી લીધી નિવૃત્તિ, મુંબઈ ઈન્ડિયન્સે સોંપી ખાસ જવાબદારી - west indies all rounder kieron pollard announces ipl retirement mumbai indians name him as batting coach

all rounder kieron pollard, વિસ્ફોટક ઓલ-રાઉન્ડરે IPLમાંથી લીધી નિવૃત્તિ, મુંબઈ ઈન્ડિયન્સે સોંપી ખાસ જવાબદારી – west indies all rounder kieron pollard announces ipl retirement mumbai indians name him as batting coach


વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓલ-રાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેઈરોન પોલાર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. કેઈરોન પોલાર્ડ 13 સિઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો રહ્યો અને આટલા વર્ષોમાં તેણે મુંબઈ માટે ઘણી મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. જોકે, નિવૃત્તિ જાહેર કરી હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ સુકાની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયેલો રહેશે. પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના બેટિંગ કોચ તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે.

મુકેશ અંબાણીની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પોલાર્ડને 2010માં ખરીદ્યો હતો. જોકે, ફ્રેન્ચાઈઝીએ પોલાર્ડને કેટલી કિંમતમાં ખરીદ્યો હતો તેની કિંમત જાહેર કરવામાં આવી ન હતી. ફ્રેન્ચાઈઝીએ તેને ટાઈ બ્રેકર નિયમ અંતર્ગત ખરીદ્યો હતો. ત્યારથી તે મુંભઈ ઈન્ડિયન્સનો મહત્વનો ખેલાડી રહ્યો છે અને ટીમને પાંચ આઈપીએલ ટાઈટલ તથા બે ચેમ્પિયન્સ લીગ ટાઈટલ જીતાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તે 100થી વધારે આઈપીએલ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં પણ સામેલ છે. મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં મહત્વનો ફાળો આપનારો અને અત્યંત મુશ્કેલ મેચોમાં ટીમને વિજય અપાવનારા પોલાર્ડ માટે ગત સિઝન સારી રહી ન હતી. ગત આઈપીએલમાં પોલાર્ડ 11 મેચમાં 14.40ની સરેરાશ અને 107.46ની કંગાળ સ્ટ્રાઈક રેટ સાથે 144 રન જ નોંધાવી શક્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રિલીઝ કરવામાં આવેલી યાદીમાં પોલાર્ડે જણાવ્યું હતું કે, હું હજી કેટલાક વર્ષ સુધી રમી શક્યો હોત તેથી મારા માટે આ નિર્ણય લેવો આસાન ન હતો. પરંતુ હું સમજું છું કે આ એક અદ્દભુત ફ્રેન્ચાઈઝી છે જેણે ઘણું બધી સિદ્ધિઓ મેળવી છે અને તેને હવે ટ્રાન્ઝિશનની જરૂર છે. જો હું મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો નથી તો હું મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પણ રમી શકું નહીં. છેલ્લી 13 સિઝનથી હું આઈપીએલની સૌથી મોટી અને સૌથી સફળ ટીમ માટે રમી રહ્યો છું તેનો મને ગર્વ છે અને હું નસીબદાર છું કે મને આવી ટીમ સાથે રમવાની તક મળી. મને ભરપૂર પ્રેમ, સહકાર અને સન્માન આપવા બદલ હું મુકેશ, નીતા અને આકાશ અંબાણીનો ખરા હ્રદયથી આભાર માનું છું. મને યાદ છે જ્યારે હું પ્રથમ વખત તેમને મળ્યો હતો ત્યારે તેમણે બંને હાથ ખુલ્લા રાખીને મને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આપણે પરિવાર છીએ. તે ફક્ત કહેવા પૂરતું ન હતું પરંતુ હું મુંબઈ માટે રમ્યો તે દરમિયાન તેમના વર્તનમાં પણ તે જોવા મળતું હતું.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઓનર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ત્રીજી સિઝનથી અમારું સૂત્ર છે – ખેલેંગે દિલ ખોલ કે! અને પોલાર્ડે આ સૂત્રને સાકાર કરી દેખાડ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં પોલાર્ડનું ઘણું મોટું યોગદાન રહ્યું છે. તે અમારી બંને ચેમ્પિયન્સ લીગ ટ્રોફી અને પાંચ આઈપીએલ ટ્રોફી વિજયનો ભાગ રહ્યો છે. મેદાનમાં અમને તેના મેજિકની ખોટ સાલશે, પરંતુ મને ખુશી છે કે તે મુંબઈ માટે રમતો રહેશે અને મુંબઈના બેટિંગ કોચ તરીકે યુવાન ખેલાડીઓને તૈયાર કરતો રહેશે. હું તેને શુભેચ્છાઓ પાઠવું છું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *