Hardik Pandya, IND vs WI: ટીમ ઈન્ડિયાની હાર બાદ પણ ખુશ દેખાયો કેપ્ટન હાર્દિક પંડ્યા, આ ખેલાડીના કર્યા વખાણ - ind vs wi hardik pandya praised tilak varma and said young cricketers will make mistakes

Hardik Pandya, IND vs WI: ટીમ ઈન્ડિયાની હાર બાદ પણ ખુશ દેખાયો કેપ્ટન હાર્દિક પંડ્યા, આ ખેલાડીના કર્યા વખાણ – ind vs wi hardik pandya praised tilak varma and said young cricketers will make mistakes


તરૌબા (ત્રિનિદાદ): ગુરુવારે રમાયેલી વેસ્ટઈન્ડિઝ સામેની ટી20 સીરિઝની પહેલી મેચમાં ભારતે (IND vs WI) 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાને 150 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ખેલાડીઓ સારો સ્કોર કરી શક્યા નહીં અને તેના કારણે ટીમ માટે મુશ્કેલીઓ ઉભી થઈ. ઈશાન કિશન 6 રન, શુભમન ગિલ 3 રન, સૂર્યકુમાર યાદવ 21 રન અને તિલક વર્મા 39 રન જ બનાવી શક્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતે માંડ 19 રન કરી શક્યો હતો. આ સિવાય સંજુ સેમસન પણ 12 રનની ઈનિંગ રમ્યો હતો. તો લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 24 અને અર્શદીપ સિંહે 31 રન આપી 2-2 વિકેટ લીધી હતી. હાર બાદ પણ પંડ્યાના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ખેલાડીઓની ભૂલ કાઢવાના બદલે તેણે ભૂલ તો થવાની જ છે તેમ કહ્યું હતું.

એશિયા કપ પહેલા મોટો ડ્રામા, ક્રિકેટરે રિટાયરમેન્ટ બાદ ફરીથી કમબેક કર્યું; હવે કેપ્ટનશિપ છોડતા વિવાદ

પહેલી મેચમાં હાર બાદ પંડ્યાએ શું કહ્યું?
મેચ બાદ બ્રોડકાસ્ટર્સ સાથેના ઈન્ટરવ્યૂમાં હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ‘અમે પીછો કરવામાં યોગ્ય ટ્રેક પર હતા. અમે કેટલીક ભૂલ કરી હતી જેની કિંમત અમારે ચૂકવવી પડી. યુવા ટીમ ભૂલ કરશે. સમગ્ર મેચ દરમિયાન અમે ગેમના કંટ્રોલમાં હતા, જે સકારાત્મક હતું. હજી સારી ચાર મેચ આવવાની છે. ટી20 ક્રિકેટમાં જો તમે વિકેટ ગુમાવી દો છો તો કોઈ પણ લક્ષ્યનો પીછો કરવાનું મુશ્કેલ થઈ જાય છે. અમારી સાથે આવું જ થયું. હજી ચાર મેચ રમવાની બાકી છે’.

પંડ્યાએ તિલક વર્માના કર્યા વખાણ
આ મેચમાં ભારત માટે ડેબ્યૂ કરનાર તિલક વર્મા સૌથી વધારે 39 રનની ઈનિંગ રમ્યો હતો. તેણે છગ્ગા સાથે પોતાનું ખાતું ખોલ્યું હતું. હાર્દિક પંડ્યા આ અંગે કહ્યું હતું કે ‘તિલકે જે રીતે પોતાની ઈનિંગની શરૂઆત કરી, તે જોઈને સારું લાગ્યું. બે છગ્ગા સાથે પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆતની આ કોઈ ખોટી રીત નથી. તે નિડર છે અને તેનામાં આત્મવિશ્વાસ છે. તે ભારત માટે ચમત્કાર કરવાનો છે’.

કોઈને કીધા વિના ચહલ બેટિંગ કરવા ગયો, 2 મિનિટમાં હોંશિયારી નીકળી ગઈ; દુનિયા સામે બન્યો મજાક

ત્રણ સ્પિનરોને રમાડવા પર પ્રતિક્રિયા
મેચમાં ત્રણ સ્પિનરને રમાડવા પર હાર્દિક પંડ્યાએ પોતાનો પક્ષ રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘આ પરિસ્થિતિથી સંબંધિત હતું. અમે કુલદીપ યાદવ અને ચહલને સાથે રમવાની તક આપવા માગતા હતા. અક્ષર પોતાની બેટિંગથી ટીમને મદદ કરી શકતો હતો. તેથી અમને તેને રમાડવાનું ઠીક લાગ્યું હતું. મુકેશ કુમારે સારી બોલિંગ કરી હતી. તે ખરેખર એક સારો બોલર છે. તે ટીમ માટે પોતાનું યોગદાન આપવા માગે છે. તેણે એક બાદ એક ઓવર ફેંકી હતી અને તે મેચમાં શાનદાર હતો’.

ભાવુક થયો પંડ્યા
જણાવી દઈએ કે, આ પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણ મેચોની વનડે સીરિઝ રમ્યું હતું, જેમાં 2-1થી વિજય થયો હતો. પહેલી મેચમાં રોહિત શર્માએ કેપ્ટનશિપ કરી હતી જ્યારે બાકીની બે મેચમાં હાર્દિક પંડ્યાને પદ સોંપવામાં આવ્યું હતું. પાંચ મેચોની ટી20 સીરિઝમાં પણ તે સુદાનીપદ સંભાળી રહ્યો છે. ત્યારે પહેલી મેચ વખતે જ્યારે નેશનલ એન્થમ વગાડવામાં આવ્યું તો તે ભાવુક થઈ ગયો હતો. તે આંખુ લૂંછતો હતો એ ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *