Odisha Train Accident: ઓડિશામાં શુક્રવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 288 લોકોનો મોત થયા છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનો વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. હવે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના બાળકો માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે (Virendra Sehwag) મદદની જાહેરાત કરી છે. આ પહેલા અદાણી ગ્રુપના ગૌતમ અદાણી (Gautam Adani) પણ મૃતકોના બાળકો માટે શિક્ષણ સહાયની જાહેરાત કરી ચૂક્યા છે.