WTC Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ડ્રોમાં ગઈ તો કોણ બનશે ચેમ્પિયન, નિયમ શું કહે છે? - wtc final what happen if india vs australia match draw who will win and what is the rules

WTC Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ડ્રોમાં ગઈ તો કોણ બનશે ચેમ્પિયન, નિયમ શું કહે છે? – wtc final what happen if india vs australia match draw who will win and what is the rules


લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરુઆત 7 જૂનના રોજ થઈ રહી છે. બંને ટીમ આ મુકાબલા માટે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવા માટે ઉતરશે. ટીમ ઈન્ડિયા સતત બીજી વાર આ ટુર્નામેન્ટના ફાઈનલમાં પહોંચી છે. છેલ્લી વખત આ મુકાબલામાં ન્યૂઝિલેન્ડની સામે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ટીમ ઈન્ડિયાનો પ્રયાસ એવો રહેશે કે બીજી વખત આ તકને તે ગુમાવે નહીં. જો કે, આ દરમિયાન ફેન્સના મનમાં પણ અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે કે જો ટેસ્ટ મેચ ડ્રો ગઈ તો પછી કોણ ચેમ્પિયન બનશે.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

ડ્રો થાય તો?
મહત્વનું છે કે, ટેસ્ટ મેચમાં હાર જીતના પરિણામ સાથે ડ્રોની સંખ્યામાં પણ ખૂબ રહી છે. ત્યારે આવી સ્થિતિમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો જો કોઈ કારણોસર ડ્રો થાય તો તે આઈસીસીના નિયમો મુજબ, ભારત અને ઓસ્ટ્રેલિયાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જો કે, ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોઈ પણ ટીમ એવું નહીં ઈચ્છે કે તેઓ ટ્રોફી શેર કરે. જેથી બંને ટીમોનો પ્રયાસ એવો રહેશે કે તેઓ ગમે તે કરીને આ મેચ જીતે અને ચેમ્પિયન બને.
WTC ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં બબાલ, વોર્નરે ક્રિકેટ બોર્ડ સામે ગુસ્સો ઠાલવ્યો!
લંડન પહોંચી ચૂકી છે ટીમ ઈન્ડિયા
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ લંડન પહોંચી ચૂક્યા છે. અહીં પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. જો કે, રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની સામે એક મોટો પડકાર છે કે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ તે કયા પ્રકારના કોમ્બિનેશન સાથે મેદાન પર ઉતરશે. છેલ્લી વખતે જ્યારે ટીમ ઈન્ડિયા બે સ્પિન બોલરની સાથે મેદાન પર ઉતરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાની આ યોજના સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી.
WTC Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ ડ્રોમાં ગઈ તો કોણ બનશે ચેમ્પિયન, નિયમ શું કહે છે? - wtc final what happen if india vs australia match draw who will win and what is the rulesWTC ફાઈનલમાં કોહલી અને પૂજારા વચ્ચે થશે અનોખી જંગ, કોઈ પણ આગળ નીકળે જીતશે ભારત
રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે

ત્યારે આવી સ્થિતિમાં રોહિત શર્મા નહીં ઈચ્છે કે જે ભૂલ ન્યૂઝિલેન્ડ સામે ફાઈનલ મેચમાં થઈ તે ફરીથી ન બને અને ચેમ્પિયન બનવાથી ચૂકી જાય. આવામાં ટીમ ઈન્ડિયાએ એક મજબૂત રણનીતિની સાથે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરવું પડશે અને પડકારનો સામનો કરવો પડશે.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *