MS Dhoni, MS Dhoni: પહેલા કાઢી આંખો અને બાદમાં ખીજાયો, ધોનીનું આવું રૌદ્ર સ્વરૂપ પહેલા ક્યારેય નહીં જોયું હોય - cks vs rcb ms dhoni gets angry on co player moeen ali for his fielding

MS Dhoni, MS Dhoni: પહેલા કાઢી આંખો અને બાદમાં ખીજાયો, ધોનીનું આવું રૌદ્ર સ્વરૂપ પહેલા ક્યારેય નહીં જોયું હોય – cks vs rcb ms dhoni gets angry on co player moeen ali for his fielding


નવી દિલ્હીઃ એમએસ ધોની (MS Dhoni) ન માત્ર ક્રિકેટના અત્યારસુધીના સફળ કેપ્ટનમાંથી એક છે પરંતુ તે એક એવો ખેલાડી છે, જે હંમેશા તેના શાંત અને ઠંડા સ્વભાવ માટે જાણીતો છે, તેના આ ગુણના તો સાથીદારો પણ પ્રશંસક છે. આ જ કારણ છે કે તેને ‘કેપ્ટન કૂલ’ કહેવામાં આવે છે. મેચમાં કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય તે હંમેશા શાંત રહે છે. મેચ જીતવાથી લઈને હારવા સુધી તેના ચહેરા પરનું રિએક્શન બદલાતું નથી. ભાગ્યે જ તે ગુસ્સે થતો જોવા મળ્યો છે અને હાલમાં આવું જ કંઈક ચાલી રહેલી આઈપીએલ 2023માં થયું. ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સાથે ખેલાડીને ઠપકો આપી રહ્યો છે.

IPL 2023: ગુજરાત ટાઈટન્સને મુંબઈ ઈન્ડિયન્સે 55 રને કચડ્યું, પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચ્યું

મોઈન અલી પર ગુસ્સે થયો ધોની
17 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ચેન્નઈ સુપર કિંગ્સની મેચ યોજાઈ હતી. આ દરમિયાન CSKનો કેપ્ટન ધોનને પિત્તો ગુમાવતો જોવા મળ્યો હતો. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આરસીબીના રન ચેઝ દરમિયાન ફિલ્ડિંગમાં ભૂલ કરવાના કારણે મોઈન અલી ધોનીના ગુસ્સાનો શિકાર બન્યો હતો. આ ઘટના 18મી ઓવરમાં બની હતી જ્યારે આરસીબીએ નિચલા ક્રમના બેટ્સમેન વેન પાર્નેલે એક્સ્ટ્રા કવર શોટ રમ્યો હતો. બોલને ફીલ્ડ કરતી વખતે ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ગોથા ખાઈ ગયો હતો. મોઈલની ભૂલના કારણે બેટ્સમેન એકના બદલે બે રન લઈ શક્યો હતો અને આ વાતથી ધોની ગુસ્સે થયો હતો. તેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

મોહમ્મદ સિરાજે મેદાન પર પોતાની જ ટીમના ખેલાડી સાથે કર્યું ગેરવર્તન, બાદમાં માફી માગી

LSG સામેની મેચમાં બોલરો પર બગડ્યો હતો
આ અગાઉ ધોની ગુસ્સે થતો ત્યારે જોવા મળ્યો હતો જ્યારે 3 એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે સીએસકેની મેચ યોજાઈ હતી. આ મેચમાં 12 રનથી ટીમની જીત થઈ હતી. પરંતુ તે બોલરોથી ખૂબ નારાજ થયો હતો અને તેમનો જોરદાર ક્લાસ લીધો હતો. વાત એમ હતી કે, મેચ દરમિયાન સીએસકેએ એક્સ્ટ્રા રન આપ્યા હતા. જેમાં નો બોલ અને વાઈડ સામેલ હતા. આ વાત ધોનીને ગમી નહોતી અને મેચ ખતમ થયા બાદ ખેલાડીઓને નો બોલ અને વાઈડ નાખવાથી બચવા કહ્યું હતું. આ સિવાય જો તેમણે ભૂલ કરી તો નવા કેપ્ટન સાથે રમવા તૈયાર રહેવું પડશે તેમ પણ કહ્યું હતું.

IPLમાંથી પણ સંન્યાસ લેશે ધોની?
ધોની અને તેના ફેન્સ માટે આ T20 લીગ વધારે ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે, તેની આ છેલ્લી આઈપીએલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વાતનો સંકેત તે પોતે પણ ઘણીવાર આપી ચૂક્યો છે. 21મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચની વાત કરીએ તો, તે વખતે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ધોનીના ફેન્સ ઉમટ્યા હતા. તે જ્યારે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે પણ તેમણે જોરદાર ચીચીયારીઓ પાડી હતી. મેચ ખતમ થયા બાદ પણ પોતાના ફેવરિટ ખેલાડીને સાંભળવા માટે ફેન્સ મોડીરાત સુધી સ્ટેડિયમમાં બેસી રહ્યા હતા. આ દરમિયાન ધોનીએ કહ્યું હતું કે, આ તેના કરિયરનો અંતિમ સમય છે. દર્શકો તેને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ તેને ફેરવેલ આપવા આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. સીએસકે આગામી મેચ 27 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે રમશે.

Read latestCricket NewsandGujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *