ગુજરાત હારના આઘાતથી બહાર આવવા તૈયાર
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023માં આ પહેલી મેચ છે જે મોહાલીમાં રમાશે. તે જ સમયે, આ સિઝનમાં બંને ટીમોની આ ચોથી મેચ હશે. અગાઉ રમાયેલી 3-3 મેચોમાં બંને ટીમોએ 2-2 મેચ જીતી હતી જ્યારે 1-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન મોટી વાત એ છે કે છેલ્લી મેચ હાર્યા બાદ બંને ટીમો જીતના ટ્રેક પર પરત ફરવા માટે આતુર રહેશે. ગત મેચમાં KKRએ ગુજરાત ટાઇટન્સને શોકિંગ અપસેટ સર્જી હારનો સ્વાદ ચખાડ્યો હતો. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને હરાવ્યું હતું.
પંજાબ પાસે હોમ ગ્રાઉન્ડનું એડવાન્ટેજ
પંજાબની સમસ્યા એ છે કે તે તેના કેપ્ટન શિખર ધવનની બેટિંગ પર સંપૂર્ણપણે નિર્ભર લાગે છે. ગત મેચમાં 143માંથી 99 રન એકલા ધવને બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ સામે પંજાબ કિંગ્સનો પ્લસ પોઇન્ટ એ છે કે મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમાવા જઈ રહી છે. મોહાલીમાં રમાયેલી 56 આઈપીએલ મેચોમાં પંજાબ કિંગ્સે 30 જીતી છે અને 26માં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમ 24 વખત જીતી છે જ્યારે રનનો પીછો કરતી ટીમ 32 વખત જીતી છે.
મોહાલીના સ્ટેડિયમની કંડિશન પ્રમાણે ગુજરાત અને પંજાબ વચ્ચેની મેચ હાઈ સ્કોરિંગ થવાની આશા છે. અત્યાર સુધી, ટીમોએ T20 ક્રિકેટમાં કુલ 11 વખત 200 રનનો આંકડો પાર કર્યો છે.
તે જ સમયે , પંજાબ કિંગ્સ પણ પરિસ્થિતિ અનુસાર એક અથવા બે ફેરફાર કરી શકે છે. જોકે જોવા જઈએ તો હવે આ ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાના સ્થાને મેચમાં પોતાનો અપ્રોચ બદલવાની જરૂર છે. ટોપ ઓર્ડર પર આધાર રાખવા સિવાય ટીમના મિડલ ઓર્ડરે જવાબદારી સમજવી પડશે.