chteshwar pujara 100th test, કેમ કાચબા અને સસલાની વાર્તાથી પણ વધારે રોચક છે ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ યાત્રા? - cheteshwar pujara 100th test why saurashtra star batters test journey is very special

chteshwar pujara 100th test, કેમ કાચબા અને સસલાની વાર્તાથી પણ વધારે રોચક છે ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ યાત્રા? – cheteshwar pujara 100th test why saurashtra star batters test journey is very special


ભારતીય ફિલ્મ જગતમાં વિનોદ ખન્ના, વિનોદ મેહરા, શશી કપૂર, અને રિશી કપૂર જેવા કેટલાક એવા કલાકારો છે જે અત્યંત ઉમદા કલાકાર હોવા છતાં પ્રેક્ષકોની વાહવાહી અને તેમનો પ્રેમ મેળવી શક્યા નહીં જેના તેઓ હદાર હતા. તેની પાછળનું સૌથી મોટું કારણ એ રહ્યું છે કે આ કલાકારોએ ઘણી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથે સફળ જોડી બનાવી હતી. ફિલ્મો હિટ થવાથી જોડીને થોડા સમય સુધી સિનેમા પ્રેમીઓ યાદ ચોક્કસથી રાખે છે પરંતુ લાંબી રેસમાં તે ફિલ્મના હિટ થવામાં ફક્ત અને ફક્ત એક જ નામ અમિતાભ બચ્ચનને યાદ રાખવામાં આવે છે. ભારતીય ક્રિકેટમાં ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા દોઢ દાયકામાં ચેતેશ્વર પૂજારા સાથે આવું જ થયું છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા તમામ ફોર્મેટના ખેલાડી, કેપ્ટન અને સુપર સ્ટાર હોવાના કારણે પૂજારાને તે સ્થાન નથી મળ્યું જેનો તે હકદાર છે.

દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બીજી ટેસ્ટ પૂજારા માટે માઈલસ્ટોન મેચ છે કેમ કે તે તેની 100મી ટેસ્ટ મેચ છે. જ્યારે તે દિલ્હીમાં 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે ત્યારે ફરીથી તેણે નવી પેઢી સમક્ષ કાચબા અને સસલાની વાર્તાને ઉદાહરણ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાની કારકિર્દીમાં પૂજારાને અવાર-નવાર તેની સ્ટ્રાઈક રેટના કારણે ટીકાનો ભોગ બનવું પડ્યું છે. તેને ટીમમાંથી પડતો પણ મૂકવામાં આવ્યો હતો પરંતુ તેણે ક્યારેય હાર માની નથી.

તેના સાથી ખેલાડી રવિચંદ્રન અશ્વિને એક અદ્દભુત લેખમાં લખ્યું છે કે પૂજારા ઘણો જિદ્દી પ્રકારનો છે અને તે પોતાની મજબૂતીને ક્યારેય છોડતો નથી. અશ્વિનને લાગે છે કે પૂજારા કદાચ વન-ડે ક્રિકેટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો હોત પરંતુ તેણે પોતાની સૌથી મોટી તાકાત ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. જો તમે અમેરિકાની જાણીતી કંપની ગેલપના સર્વે પર આધારિત પુસ્તક સ્ટ્રેન્થ ફાઈન્ડરને વાંચશો તો તમને ખ્યાલ આવશે કે વિશ્વમાં મોટા ભાગના લોકો પોતાની નબળાઈ પર ધ્યાન આપે છે અને તેને દૂર કરવા માટે કામ કરે છે. જ્યારે સૌથી સફળ લોકો પોતાના મજબૂત પાસાને વધારે મજબૂત કરતા રહે છે.

ટેસ્ટ ક્રિકેટમાં પૂજારાની 19 સદી આ વાતનો પૂરાવો છે. જ્યારે રોહિત શર્મા જેવા શાનદાર ખેલાડીએ 100 ટેસ્ટ નથી રમી અને પૂજારા ફક્ત કોહલી બાદ વર્તમાન પેઠીનો એવો બીજો ખેલાડી બનવા જઈ રહ્યો છે કે જે 100 ટેસ્ટ રમશે. ત્યારે આ એક મોટી સિદ્ધિ છે. આગામી સમયમાં ભારતીય ક્રિકેટને કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટ્રોક્સ પ્લેયર્સ મળી જશે જેવું સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ બાદ થયું હતું. પરંતુ જે રીતે રાહુલ દ્રવિડ બાદ નવી દિવાલ તરીકે પૂજારા મળ્યો તેવો ખેલાડી ભવિષ્યમાં ભારતીય ક્રિકેટને મળવો મુશ્કેલ છે. તેથી પૂજારાની કારકિર્દીની ઉજવણી કરવી જોઈએ કેમ કે ક્રિકેટે હવે આવા ખેલાડી આપવાનું બંધ કરી દીધું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *