Ind Vs Pak: પાકિસ્તાન ODI વર્લ્ડ કપ 2023 નહીં રમે! ભારતના આ નિર્ણયથી નારાજ
જાડેજા કમબેક કરવા માટે તૈયાર
જાડેજા છેલ્લે જુલાઈ 2022માં બર્મિંઘમમાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં રમ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના ડાબા ઘૂંટણની સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. ‘ક્યાંકને ક્યાંક હું ઘૂંટણ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને મારે સર્જરી કરાવવી પડી. પરંતુ મારે તે નિર્ણય લેવાનો હતો કે, મારે તે ટી20 વર્લ્ડ કપ પહેલા કરાવવી છે કે બાદમાં. ડોક્ટરે મને વર્લ્ડ કપ પહેલા કરાવવાની સલાહ આપી હતી, કારણ કે આમ કર તો વર્લ્ડ કપ રમવાની ખૂબ ઓછી તક હતી. મેં ત્યારે સર્જરીનું નક્કી કર્યું પરંતુ ત્યારબાદ રિહેબ અને ટ્રેનિંગનો સમય મુશ્કેલ હતો’, તેમ તેણે ઉમેર્યું.
હનીમૂન છોડી KL Rahul કરી રહ્યો છે AUSની બેન્ડ વગાડવાની તૈયારી, નેટમાં પાડી રહ્યો છે પરસેવો
ફિટ થવામાં મદદ કરનારનો માન્યો આભાર
ડાબા ઘૂંટણની સર્જરી બાદ જાડેજા માત્ર ટી20 વર્લ્ડ કપ જ નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ તેમજ શ્રીલંકા સામેની સીરિઝ પણ ચૂકી ગયો. બાંગ્લાદેશની ટુર દરમિયાન તેનું સિલેક્શન કરવામાં આવ્યું હતું, પરંતુ તે તેની ફિટનેસ પર નિર્ભર હતું અને બાદમાં તેને બહાર કરવામાં આવ્યો હતો. જાડેજાએ રિહેબના તબક્કા દરમિયાન વિચારોની એક ઝલક આપી અને ફિઝિયોથેરાપિસ્ટની સાથે-સાથે નેશનલ ક્રિકેટ એકેડેમીના (એનસીએ) ટ્રેનર્સે પૂરી રીતે ફિટ થવામાં મદદ કરી તે વિશે વાત કરી.
જાડેજાના મનમાં આવતા હતા આવા વિચાર
ફિટનેસને લઈને જાડેજાએ કહ્યું કે ‘ક્યારેક-ક્યારેક તમારા મનમાં વિચાર આવે છે કે, હું ક્યારે ફિટ થઈશ અથવા ફિટ થઈ શકીશ કે નહીં. જ્યારે તમે ટીવી પર મેચ જુઓ છો, જેમ કે વર્લ્ડ કપ તો મને તેનો લાગ્યું કે કાશ હું રમી શક્યો હતો. આવા વિચારો મગજમાં આવે છે પરંતુ આવી નાની-નાની વાતો પણ તમને પ્રેરિત કરે છે કે તમારે કમબેક માટે સારી રીતે રિહેબ કરવું પડશે. તમારે ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે અને ઘૂંટણોને મજબૂત બનાવવા પડશે’. આગળ તેણે કહ્યું કે ‘એનસીએમાં ફિઝિયો અને ટ્રેનર્સે મારા ઘૂંટણ પર ઘણું કામ કર્યું. તેમણે મને એટલો સમય આપ્યો અને ભલે એનસીએમાં રવિવારે રજા હોય, પરંતુ તેઓ ખાસ મારા માટે આવતા હતા. તેમણે મારા પર ખૂબ કામ કર્યું. બે-ત્રણ અઠવાડિયા હું બેંગાલુરુમાં રહેતો હતો અને ફ્રેશ થવા માટે થોડા દિવસ ઘરે જતો હતો’
Read latest Cricket News and Gujarati News