india vs sri lanka t20 series 2023, ત્રીજી T20: રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો 'સૂર્ય' ઝળક્યો, શ્રીલંકાને હરાવી ભારતે સીરિઝ જીતી - india vs sri lanka 3rd t20 rajkot suryakumar yadav century help team india to win another bilateral series at home

india vs sri lanka t20 series 2023, ત્રીજી T20: રાજકોટમાં ટીમ ઈન્ડિયાનો ‘સૂર્ય’ ઝળક્યો, શ્રીલંકાને હરાવી ભારતે સીરિઝ જીતી – india vs sri lanka 3rd t20 rajkot suryakumar yadav century help team india to win another bilateral series at home


સૂર્યકુમાર યાદવે ફટકારેલી તોફાની સદી બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે રાજકોટમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી20 ક્રિકેટ મેચમાં શ્રીલંકા સામે 91 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતે ત્રણ મેચની સીરિઝ 2-1થી જીતી લીધી છે. પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો હતો જ્યારે બીજી મેચ શ્રીલંકાએ જીતી લીધી હતી. જ્યારે ત્રીજી મેચમાં હાર્દિક પંડ્યાની ટીમે જીત નોંધાવીને સીરિઝ પણ પોતાના નામે કરી લીધી હતી. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે સૂર્યકુમાર યાદવની અણનમ 112 રનની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટે 228 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 16.4 ઓવરમાં 137 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. સૂર્યકુમાર યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સૂર્યકુમાર યાદવની તોફાની સદી
ત્રીજી અને નિર્ણાયક ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ઈશાન કિશન એક રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કરી હતી. આ જોડીએ 49 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમાં પણ રાહુલ ત્રિપાઠીએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 16 બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 35 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શુભમન ગિલ ચાર રન માટે પોતાની અડધી સદી ચૂકી ગયો હતચો. શુભમન ગિલે બે ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 46 રનની ઈનિંગ્સ રમી હતી.

જોકે, ભારતીય બેટિંગનું મુખ્ય આકર્ષણ સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ રહી હતી. હાલમાં ટી20 ક્રિકેટમાં વિશ્વના નંબર વન બેટ્સમેન રહેલા સૂર્યકુમાર યાવદે શ્રીલંકાના બોલર્સની ધોલાઈ કરીને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. શ્રીલંકન બોલર્સ તેના પર નિયંત્રણ રાખી શક્યા ન હતા. તેણે તોફાની બેટિંગ કરીને પોતાની સદી પણ પૂરી કરી હતી. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં સાત ચોગ્ગા અને નવ સિક્સર સામેલ હતી. જયારે અક્ષર પટેલે નવ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 21 રન ફટકાર્યા હતા. શ્રીલંકા માટે દિલશાન મધુશંકાએ બે વિકેટ ઝડપી હતી. જ્યારે રજીથા, તીક્ષના અને વાનિન્દુ હસારંગાએ એક-એક વિકેટ ઝડપી હતી.

ભારતીય બોલર્સ સામે ના ટકી શક્યા શ્રીલંકન બેટર્સ
શ્રીલંકા સામે 229 રનનો જંગી લક્ષ્યાંક હતો પરંતુ શ્રીલંકન ટીમ એક પણ વખત પડકાર આપી શકી ન હતી. શ્રીલંકાનો કોઈ બેટર ટકી શક્યો ન હતો. પાથુમ નિસાંકા અને કુશલ મેન્ડિસની જોડી ઓપનિંગમાં આવી હતી પરંતુ તેઓ સારી શરૂઆત કરી શક્યા ન હતા. નિસંકા 15 અને કુશલ મેન્ડિસ 23 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ આવિષ્કા ફર્નાન્ડો એક રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. ભારતીય બોલર્સના તરખાટ સામે શ્રીલંકાની વિકેટો નિયમિત અંતરે પડી રહી હતી જેના કારણે ટીમને 91 રનના જંગી અંતરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

મિડલ ઓર્ડરમાં ધનંજય ડીસિલ્વાએ 22, ચરિથ અસાલંકાએ 19 અને સુકાની દાસુન શનાકાએ 23 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ લોઅર ઓર્ડરના બેટર્સ બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યા ન હતા. વાનિન્દુ હસારંગા નવ, ચમિકા કરૂણારત્ને શૂન્ય, મહીશ તીક્ષના બે તથા દિલશાન મધુશંકાએ એક રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કાસુન રજીતા નવ રને અણનમ રહ્યો હતો. ભારત માટે અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલે બે-બે તથા અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *