arjun tendulkar, હું ઊભો પણ રહી શકતો નથી... યોગરાજે આપેલી તનતોડ ટ્રેનિંગના તે 15 દિવસ અર્જુન તેંડુલકર ક્યારેય નહીં ભૂલે - how yuvraj singh father yograj singh trained arjun tendulkar before his ranji trophy debut

arjun tendulkar, હું ઊભો પણ રહી શકતો નથી… યોગરાજે આપેલી તનતોડ ટ્રેનિંગના તે 15 દિવસ અર્જુન તેંડુલકર ક્યારેય નહીં ભૂલે – how yuvraj singh father yograj singh trained arjun tendulkar before his ranji trophy debut


13 વર્ષ અગાઉ જ્યારે સચિન તેંડુલકર પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં રમી રહ્યો હતો ત્યારે તેની સાથે હંમેશા એક નાનકડો છોકરો અર્જુન જોવા મળતો હતો. તે સિનિયર ક્રિકેટર્સ સાથે દોડતો, ભાગતો, ટ્રેનિંગ કરતા જોતો અને તેવું કરવાનો પ્રયાસ કરતો જેવું તેના પિતા કરતા હતા. થોડા જ સમયમાં ખ્યાલ આવી ગયો કે અર્જુન પણ પોતાના પિતાના રસ્તે ચાલવા લાગ્યો છે. તે પણ મહાન સચિનની જેમ ક્રિકેટર બનવા ઈચ્છે છે. જોકે, તેનો માર્ગ આસાન રહ્યો નથી અને રહેશે પણ નહીં. કેમ કે મહાન પિતાનો પુત્ર હોવાથી જ બધું મળી જતું નથી. સચિન પણ જાણે છે કે ડગલેને પગલે અર્જુનની તુલના તેની સાથે થશે. અર્જુન તેંડુલકરે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું અને એવી સિદ્ધિ નોંધાવી જેવી તેના પિતાએ નોંધાવી હતી. અર્જુને પણ સચિનની જેમ પોતાની પ્રથમ રણજી મેચમાં સદી ફટકારી છે.

IPL હરાજીમાં થઈ હતી અર્જુન તેંડુલકરની જાહેરમાં બેઈજ્જતી!
અર્જુન પર પોતાના પિતાનો પડછાયો એટલે સુધી રહ્યો હતો તેને અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી દરમિયાન ગુજરાત ટાઈટન્સના હેડ કોચ આશિષ નેહરા તે જાણતો હતો છતાં મુંબઈ ઈન્ડિયન્સના દાવ પર દાવ રમ્યો હતો કે મુંબઈ કોઈ પણ ભોગે તેને પોતાની સાથે જોડશે તો હોલમાં બેઠેલો પ્રત્યેક વ્યક્તિ હસવા લાગ્યો હતો. આ જોવામાં સામાન્ય હતું પરંતુ હકિકતમાં અર્જુનની મજાક ઉડવવા જેવું હતું. અજાણતા જ પરંતુ નેહરાથી આવું થયું હતું. અર્જુન મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો પરંતુ સમગ્ર સિઝનમાં તેને એક પણ મેચ રમવા મળી ન હતી. ત્યારે લોકો કહેવા લાગ્યા હતા કે તેનામાં દમ નથી.

સચિન તેંડુલકરને હતી એક ‘આચરેકર’ની શોધ
અર્જુન તેંડુલકરનો ઉછેર ઘણો લાડમાં થયો છે. ત્યારે તમામ લોકોને લાગ્યું હશે કે તે પણ તે ક્રિકેટર્સના પુત્રોની જેમ ઝાકમઝોળમાં ખોવાઈ ન જાય. સ્ટાર ખેલાડીઓથી ભરેલી મુંબઈની રણજી ટીમમાં અર્જુનને તક મળી રહી ન હતી. જેના કારણે તેણે ગોવા ટીમ માટે રમવાનું નક્કી કર્યું. બીજી તરફ સચિનને પણ ખ્યાલ આવી ગયો હતો કે પુત્રને હવે પોતાના પડછાયામાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે. તેના માટે એક સારા કોચની શોધ સચિનને હતી. સચિનને એવા કોચની જરૂર ન હતી જે તેના માટે રૂમાલ લઈને ઊભો હોય. સચિન ઈચ્છતો હતો કે અર્જુનના ગુરૂ પણ આચરેકર જેવા હોય જે ભૂલ થાય ત્યારે થપ્પડ પણ મારે.

અને મળી ગયા ‘હાનિકારક બાપુ’
સચિનને અંતે આવા જ એક કોચ મળી ગયા અને તે હતા વિસ્ફોટક ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ. કહેવામાં આવે છે કે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ ટોપ પર હતો ત્યારે યોગરાજ યુવરાજને લઈને તેમની પાસે પહોંચ્યા હતા. સિદ્ધુએ તેમ કહીને યુવરાજને ટ્રેનિંગ આપવાની ના પાડી દીધી હતી કે તે ક્રિકેટર બની શકશે નહીં. (જોકે, પછીથી સિદ્ધુએ કહ્યું હતું કે તેણે યુવરાજની નાની ઉંમરને જોઈને એવું કહ્યું હતું કે તેને પછીથી લઈને આવજો.) ત્યારબાદ યોગરાજે જાતે જ યુવરાજને આકરી ટ્રેનિંગ આપી હતી અને એવો ક્રિકેટર બનાવ્યો જેની ગણના લિજેન્ડરી ઓલ-રાઉન્ડરમાં થાય છે.

યોગરાજે અર્જુનને કહ્યું હતું કે, 15 દિવસ સુધી ભૂલા જા કે તું સચિનનો દીકરો છે
જ્યારે અર્જુન યોગરાજ પાસે પહોંચ્યો ત્યારે સૌથી પહેલા તેને તે વાત સાંભળવા મળી કે 15 દિવસ ભૂલી જા કે તું સચિનનો પુત્ર છે. યુવરાજ સિંહે કોલ કર્યો હતો અને યોગરાજે અર્જુનને ટ્રેઈન કરવાની જવાબદારી સંભાળી હતી. આ બે સપ્તાહ બૂટ કેમ્પ જેવા હતા. આર્મી જેવી ટ્રેનિંગ હતી. સવારે 5 વાગ્યે ઉઠવાનું, બે કલાક દોડવાનું અને બાદમાં જિમ સત્ર શરૂ થતું હતું. અર્જુનને કહેવામાં આવ્યું હતું કે પોતાના સ્નાયુઓને ટોન કરવા અને ઈજા લાગવાની સંભાવના ઓછી કરવા માટે પોતાના બોડીવેઈટનો ઉપયોગ કરીને કસરત કરે.

શરૂ થઈ અર્જુનની આકરી ટ્રેનિંગ
યોગરાજે જણાવ્યું હતું કે, મેં તેને કહ્યું હતું કે તે આગામી 15 દિવસ સુધી ભૂલા જાય કે તે સચિન તેંડુલકરનો પુત્ર છે. મને લાગે છે કે અન્ય કોચે તેમની મજાક ઉડાવી હતી કેમ કે તે સચિનનો પુત્ર છે. મેં તેને કહ્યું હતું કે તેણે પોતાના પિતાના પડછાયામાંથી બહાર આવવાની જરૂર છે. અર્જુને એવું કર્યું પણ ખરું. તે મેં બતાવેલી તમામ પ્રેક્ટિસ અને ટ્રેનિંગ કરતો હતો. અર્જુને નેટ્સમાં યોગરાજને પ્રભાવિત કર્યા પરંતુ બોલિંગથી નહીં બેટિંગથી. આ ઘણું આશ્ચર્યજનક હતું કેમ કે અન્ય લોકોએ હંમેશા અર્જુનની બોલિંગની પ્રશંસા કરી હતી.

અર્જુને કહ્યું હતું કે- સર હું ઊભો પણ રહી શકતો નથી
યોગરાજ સિંહનું માનવું હતું કે અર્જુન બેટથી વધારે વિસ્ફોટક બની શકે છે. આ અંગે તેમણે તરત જ સચિન અને યુવરાજને ફિડબેક આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મેં સચિનને ફોન કર્યો અને તેને પૂછ્યું કે તેમણે અર્જુનની બેટિંગ પર વધારે ધ્યાન કેમ આપ્યું નથી. બોલિંગ કરતી વખતે અર્જુનને ઈજા થઈ હતી અને ડોક્ટરના રિપોર્ટમાં ફ્રેક્ચર નથી તેવું સામે આવ્યું હતું. અર્જુને કહ્યું હતું કે સર હું ઊભો પર રહી શકતો નથી. ત્યારે યોગરાજે કહ્યું હતું કે આગની નદીમાં તર્યા વગર તું ક્યારેય સોનું બની શકીશ નહીં.

ગુસ્સામાં હતો કે બીજું કંઈ… પરંતુ મને મળી ગઈ આગ
યોગરાજે કહ્યું હતું કે, મને ખબર નથી કે આ ગુસ્સામાં હતું કે શું હતું, પરંતુ તે તાકાતથી બોલ ફટકારી રહ્યો હતો. આ ટ્રેનિંગના થોડા મહિના બાદ અર્જુને ગોવા માટે રણજી ડેબ્યુ કરતાં રાજસ્થાન વિરુદ્ધ 207 બોલમાં 120 રન નોંધાવ્યા હતા. જોકે, હજી તો આ શરૂઆત છે અને અર્જુનને ઘણો લાંબી સફર ખેડવાની છે. ભવિષ્યમાં તે કેવો દેખાવ કરશે તે જોવાનું રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *