T20 World Cup પછી 9 ભારતીય ખેલાડી જ ન્યૂઝીલેન્ડ પહોંચ્યા, 9 પાછા ફર્યા, બે ગમે ત્યારે થઈ શકે છે નિવૃત્ત
ધોનીને કોચ બનાવવાનું સલમાન બટનું સૂચન
સલમાન બટે પોતાની YouTube ચેનલ પર ચર્ચા દરમિયાન કોચિંગને લઈને વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સહેવાગ અને મહેન્દ્ર સિંહ ધોની વિશે વાત કરી હતી. જો કે, કોચ તરીકે પોતાની પહેલી પસંદ ધોની જ હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મને કોચિંગ વિશે વધારે ખતમ નથી પરંતુ વીવીએસ લક્ષ્મણ એક શાનદાર ખેલાડી રહ્યા છે. સહેવાણ સારું રમતો હતો પરંતુ કોચિંગની દ્રષ્ટિએ હું ધોનીને પસંદ કરીશ, જે ટીમ માટે બાકીના કરતાં વધારે સારું રિઝલ્ટ આપી શકે છે’. આ સિવાય તેણે ઉમેર્યું હતું કે ‘જો ટેક્નિકલી સુપીરિયર અને લીડરશીપની વાત કરીએ તો, કોચિંગ પણ એક લીડરશીપ હોય છે, મેન્ટરશિપ હોય છે, તો જેટલો સફળ મેં ધોનીને જોયો છે તે રીતે ટીમ ઈન્ડિયા માટે મારી પહેલી પસંદ તો એ જ છે’
T20 WC: અખ્તરે ભારતની હારની ઉડાવી હતી મજાક, ફાઈનલ બાદ શમીએ આપ્યો જડબાતોડ જવાબ
સૂર્યકુમાર યાદવના કર્યા વખાણ
સલમાન બટે સૂર્યકુમાર યાદવની બેટિંગ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. શું સૂર્યકુમારને ઓપનિંગમાં બેટિંગ કરાવવી જોઈએ તેના જવાબમાં તેણે કહ્યું હતું, તે એવો બેટ્સમેન છે જે કોઈ પણ પરિસ્થિતિમાં પાવરપ્લેની જેમ રમે છે. ‘જો કે, મારું માનવું છે કે તેની બેટિંગની પોઝિશન શું હોવી જોઈએ તે ઉપયોગિતા પર નિર્ભર પર કરે છે કે ટીમને તેની જરૂર ક્યાં છે’.
‘રોહિત શર્મા વર્લ્ડ કપમાં સંપૂર્ણ રીતે ફિટ નહોતો’
કેપ્ટન રોહિત શર્મા અંગે પણ સલમાન બટે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું ‘રોહિત ટી20 વર્લ્ડ કપમાં પૂરી રીતે ફિટ જોવા મળ્યો નહોતો. તે વિશ્વ સ્તરનો ખેલાડી છે. તે ઘણીવાર તેવી ઈનિંગ્સ રમી ચૂક્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પરંતુ આ વખતના વર્લ્ડ કપમાં તે નિષ્ફળ રહ્યો’.
ન્યૂઝીલેન્ડની ટુર પર ટીમ ઈન્ડિયા
ટી20 વર્લ્ડ કપમાં નિષ્ફળતા મળ્યા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના ટુર પર છે. અહીંયા બંને વચ્ચે ત્રણ-ત્રણ મેચોની ટી20 અને વનડે સીરિઝ રમાશે. આ સીરિઝ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે. ટી20માં હાર્દિક પંડ્યા તો વનડેમાં શિખર ધવન કમાન સંભાળશે
Read Latest Cricket News And Gujarati News