T20 World Cup, T20 WC 2022: સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓનું આ ફોર્મેટમાંથી ખતમ થઈ જશે કરિયર! ખૂબ જલ્દી જ લેશે સંન્યાસ! - from r aswin to dinesh karthik these four players of team india can be declare retirement from t20 format

T20 World Cup, T20 WC 2022: સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓનું આ ફોર્મેટમાંથી ખતમ થઈ જશે કરિયર! ખૂબ જલ્દી જ લેશે સંન્યાસ! – from r aswin to dinesh karthik these four players of team india can be declare retirement from t20 format


આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022ના (T20 World Cup) સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર ફેંકાી ગયું છે. આ પહેલા સુપર-12માં ભારતીય ટીમનું પર્ફોર્મન્સ જબરદસ્ત રહ્યું હતું. આ રાઉન્ડમાં ભારતે પોતાની પાંચમાંથી ચાર મેચમાં જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર રહી હતી. જો કે, નોકઆઉટ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલ જેવા મોટા મુકાબલાના દબાણને ઉઠાવી શક્યું નહીં. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા આ ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને કેટલાક એવા ખેલાડીઓ પાસેથી આશા હતી, જેઓ મેચ વિજેતા બનવાની ક્ષમતા રાખતા હતા પરંતુ તેઓ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા. તેવું માનવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડ કપ ખતમ થયા બાદ ટીમ ઈન્ડિયાના ચાર ખેલાડીઓનું ટી20 કરિયર લગભગ ખતમ થઈ ગયું છે અને તેઓ ખૂબ જલ્દી આ ફોર્મેટને અલવિદા કહી શકે છે.

T20 World Cup 2022: રાહુલ બેટિંગમાં ફેઈલ, ન ચાલી અશ્વિનની ફિરકી… આ 5 રહ્યા ભારતની હારના વિલન

રવિચંદ્રન અશ્વિન (R Aswin)
આર અશ્વિન ટીમ ઈન્ડિયાનો એક ધાકડ સ્પિન બોલર છે. ટીમ મેનેજમેન્ટે તેને ટી20 વર્લ્ડ કપમાં સામેલ કર્યો હતો અને લીગ સ્ટેજની સાથે સેમીફાઈનલ સુધી તેને મેચ રમવાની તક મળી હતી. જો કે, તે ટીમ માટે સહેજ પણ અસરકારક સાબિત થયો નહોતો. અશ્વિન ટીમ ઈન્ડિયા માટે 65 મેચ રમી ચૂક્યો છે, જેમાં તેના નામ પર 72 વિકેટ છે. આ ફોર્મેટમાં અશ્વિનનું પર્ફોર્મન્સ જોવા જઈએ તો સરેરાશ રહ્યું છે. ટી20 વર્લ્ડ કપમાં તેના નિરાશાજનક પર્ફોર્મન્સ બાદ આ ફોર્મેટમાં ભાગ્યે જ ટીમ તરફથી રમવાની તક મળશે તેમ લાગી રહ્યું છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે અશ્વિન ટી20 ક્રિકેટને જલ્દી અલવિદા કહી શકે છે.

દિનેશ કાર્તિક (Dinesh Karthik)
ટીમ ઈન્ડિયા માટે ટી20 વર્લ્ડ કપમાં રમનારો દિનેશ કાર્તિક પર આ ફોર્મેટમાંથી સન્યાસ લઈ શકે છે. કાર્તિકને ટીમમાં એક ફિનિશર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ લોકોની આશા પર તે ખરો ઉતર્યો નહીં. કાર્તિકે ટી20 વર્લ્ડ કપની ચાર મેચોમાં માત્ર 14 જ રન બનાવ્યા હતા. આ સિવાય તેણે પણ કહ્યું હતું કે, તેના માટે આ છેલ્લો વર્લ્ડ કપ છે. તેવામાં કાર્તિક પણ ખૂબ જલ્દી ટી20 ક્રિકેટને અલવિદા કહી શકે છે. ક્રિકેટરને ટીમ ઈન્ડિયા તરફથી અત્યારસુધીમાં 60 મેચ રમવાની તક મળી છે. આ દરમિયાન તેણે 686 રન બનાવ્યા છે. આ આંકડો જોઈને તે ફરીથી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળે તેવા કોઈ એંધાણ વર્તાય રહ્યા નથી.

India vs England: ભારતની હારથી બોલીવૂડ દુઃખી, સ્ટાર્સે કહ્યું: હિંમત ન હારશો, કહાની હજુ બાકી છે!

ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)
ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયા માટે નાના ફોર્મેટમાં રમનારા ભુવનેશ્વર માટે ટી20 વર્લ્ડ કપ કંઈ ખાસ રહ્યો નથી. આ ટુર્નામેન્ટમાં તેના ખાતામાં માત્ર 4 જ વિકેટ નોંધાઈ છે. તેને જે આશા સાથે ટી20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેમા તેણે નિરાશા આપી. ક્રિકેટર ભારતીય ટીમ માટે અત્યારસુધીમાં 85 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે, જેમાં તેણે 89 વિકેટ લીધી છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે, તેના માટે આ અંતિમ ટી20 વર્લ્ડ કપ હતો.

મહોમ્મદ શમી (Mohammed Shami)
આ લિસ્ટમાં મહોમ્મદ શમીનું નામ પણ આવે છે. તેને ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ પણ શમીને લઈને તે વાત સ્પષ્ટ કરી ચૂકી હતી કે, ટી20 ફોર્મટમાં તેમની યોજનામાં તે સામેલ નથી પરંતુ બુમરાહ ઈજાગ્રસ્ત થતાં તેને સ્થાન આપવામાં આવ્યું હતું. તે 23 ટી20 મેચો રમ્યો છે, જેમાં 24 વિકેટ લીધી છે.

Read Latest Cricket News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *