3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી : ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત

3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી : ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે ટૂંકા ગાળાની લોન સમયસર ચૂકવનારા ખેડૂતો માટે વ્યાજ અનુદાન સ્કીમ ચાલુ રાખી છે.માહિતી માટે અહીં ક્લિક કરો  

3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી : ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે ટૂંકા ગાળાની લોન સમયસર ચૂકવનારા ખેડૂતો માટે વ્યાજ અનુદાન સ્કીમ ચાલુ રાખી છે. આવી સ્થિતિમાં ટૂંકા ગાળા માટે 3 લાખ રૂપિયા સુધીની લોન લેનારા ખેડૂતોને વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે.

સબવેન્શન સ્કીમ શું છે

સહકારી મંડળીઓ અને બેંકો દ્વારા ખેડૂતોને સરકાર તરફથી ઓછા વ્યાજ દરે ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપવામાં આવે છે. ઘણા ખેડૂતો આ લોન સમયસર ભરપાઈ કરે છે અને જ્યારે ઘણા ખેડૂતો કોઈ કારણોસર સમયસર લોન ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં, જે ખેડૂતો સમયસર લોનની ચુકવણી કરે છે, તેઓને જ વ્યાજ સબવેન્શન સ્કીમ નો લાભ મળશે.

ક્રેડિટ કાર્ડ વડે સસ્તી લોન મેળવો

હાલમાં સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ઓછા વ્યાજ દરે લોન આપે છે. જે ખેડૂતો પાસે ક્રેડિટ કાર્ડ નથી તેઓ તેમના તાલુકા કચેરીમાં જઈને તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે. જો ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લે છે, તો તેને 4%ના વ્યાજ પર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે. એટલું જ નહીં, કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો લાભ પણ મળે છે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *