હું ખૂબ ગુસ્સામાં હતો

‘હું બાથરુમમાં રડતો રહ્યો…’ ચહલના પાંચ મોટા ખુલાસા, જેનાથી હચમચી ગઈ ક્રિકેટની દુનિયા – yuzvendra chahal shocking revelation about rcb and test cricket


હું ખૂબ ગુસ્સામાં હતો

યુઝવેન્દ્ર ચહલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી આઠ વર્ષ સુધી રહ્યો હતો, પરંતુ આઈપીએલ 2022માં ઓક્શનમાં ન તો ખરીદવામાં આવ્યો કે રીટેન કરાયો. ચહલે કહ્યું હતું કે, આરસીબીએ તેને રિટેન ન કરતાં ખરાબ લાગ્યું હતું, કારણ કે મેનેજમેન્ટે એકવાર પણ ફોન કરીને આ વિશે વાત કરી નહોતી. ચહલે કહ્યું હતું કે, જે ફ્રેન્ચાઈઝી સાથે આઠ વર્ષ પસાર કર્યા હોય તો પછી ફેમિલી બની જાય છે.

બાથરુમમાં જઈને રડ્યો હતો

બાથરુમમાં જઈને રડ્યો હતો

શું કોઈ મેન્ટલ હેલ્થની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે, તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘જ્યારે વર્ષ 2021માં યુએઈમાં થયેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં મારું સિલેક્શન નહોતું થયું ત્યારે મને નિરાશાએ ઘેરી લીધો હતો. તે સમયે મને ખરાબ લાગ્યું હતું. રાતે 9.30 વાગ્યે ટીમ જવાની હતી. મેં ટીમ શીટ વાંચી હતી. તે દિવસે હું બાથરુમમાં જઈને રડ્યો હતો’. જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં ચહલની જગ્યા લેનારા વરુણ ચક્રવર્તી અને રાહુલ ચહરે પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું.

આજે હું છું કાલે કોઈ બીજું આવી જશે

આજે હું છું કાલે કોઈ બીજું આવી જશે

સ્ટારડમ અને ગ્લેમર છતાં એક ઈન્ટરનેશનલ ક્રિકેટરનું જીવન સરળ હોતું નથી. ટીમમાં જગ્યા મળશે જ તેવું નક્કી હોતું નથી. એક દિવસ એવો આવશે જ્યારે એક ખેલાડીની જગ્યાએ બીજા ખેલાડીને લેવામાં આવશે. ચહલે પોડકાસ્ટમાં કહ્યું હતું કે ‘સારું પર્ફોર્મ કરો છો તો તમે ઉપર છો, નહીં તો બસ સોશિયલ મીડિયાથી દૂર થઈ જાઓ. એક દિવસ દરેક ખેલાડીને રિપ્લેસ કરવામાં આવે છે. જો હું સારું પર્ફોર્મ નહીં કરું તો કાલે કોઈ આવશે અને મને તે સામે વાંધો નથી’.

ટેસ્ટ ટીમમાં નથી થયું સિલેક્શન

ટેસ્ટ ટીમમાં નથી થયું સિલેક્શન

દરેક ક્રિકેટરની જેમ ચહલ પણ પોતાના દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમવા માગે છે. તેણે એક દિવસ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાના પોતાના સપનાને સામે રાખ્યું હતું. ચહલે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ટેસ્ટ જ અસલી ક્રિકેટ છે. તમારે અહીં વિકેટ લેવા માટે પાંચ દિવસ મહેનત કરવી પડે છે. તમારું શરીર થાકે છે, પરંતુ તમારે બીજા દિવસે ઉઠીને બોલિંગ કરવી પડે છે. આ જ અસલી ટેસ્ટ છે. હું ઓછામાં ઓછી એક ટેસ્ટ મેચ રમવાની આશા રાખું છું’.

રાજસ્થાન રોયલ્સમાં આવવાથી મને મદદ મળી

રાજસ્થાન રોયલ્સમાં આવવાથી મને મદદ મળી

આઈપીએલ 2022માં મેગા ઓક્શનમાં આરસીબી દ્વારા ઈગ્નોર કર્યા બાદ ચહલને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તે વર્ષે ટીમ ફાઈનલમાં પહોંચી હતી અને ચહલ પર્પલ કેપ જીત્યો હતો. ચહલે આ ઈન્ટરવ્યૂમાં તે વાતનો સ્વીકાર કર્યો હતો કે, રાજસ્થાન ટીમનો ભાગ બન્યા બાદ એક બોલર તરીકે તેમા સુધારો થયો છે, કારણ કે હવે તે ડેથ ઓવર્સમાં પણ બોલિંગ કરતા શીખી ગયો છે. રાજસ્થાન માટે છેલ્લી બે સીઝનની કુલ 31 મેચમાં તેણે 19.9ની સરેરાશ સાથે 48 વિકેટ સીધી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *