રવિન્દ્ર જાડેજાએ માંજરેકરને માર્યો ટોણોઃ દુશ્મનીથી ક્યારે થઈ દોસ્તી, સમજો ક્રિકેટની કેમેસ્ટ્રી - ravindra jadeja sets the internet ablaze with viral post about sanjay manjrekar

રવિન્દ્ર જાડેજાએ માંજરેકરને માર્યો ટોણોઃ દુશ્મનીથી ક્યારે થઈ દોસ્તી, સમજો ક્રિકેટની કેમેસ્ટ્રી – ravindra jadeja sets the internet ablaze with viral post about sanjay manjrekar


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 30 Sep 2022, 8:13 pm

Ravindra Jadeja vs Sanjay Manjrekar: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર અને સંજય માંજરેકર વચ્ચેની લડાઈથી ક્રિકેટપ્રેમીઓ સારી રીતે માહિતગાર છે. એક સમયે જ્યારે માંજરેકરે રવિન્દ્ર જાડેજાની ટીકા કરતાં તેને પીટ્સ એન્ડ પીસ ક્રિકેટર કહ્યો હતો. માંજરેકરની ટીકાનો જાડેજાએ પણ આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. બંને લોકો તરફથી સોશિયલ મીડિયામાં પણ નિવેદનબાજી જોવા મળી હતી

 

હાઈલાઈટ્સ:

  • સંજય માંજરેકરે એક વખત રવિન્દ્ર જાડેજાની ટીકા કરી હતી ત્યારથી તેના સંબંધો ખરાબ થયા હતા
  • જોકે, એશિયા કપ બાદ તેમના સંબંધોમાં સુધારો આવતો જોવા મળી રહ્યો છે
  • રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે આગામી મહિને રમાનારા ટી20 વર્લ્ડકપની બહાર થઈ ગયો છે
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ-રાઉન્ડર અને સંજય માંજરેકર વચ્ચેની લડાઈથી ક્રિકેટપ્રેમીઓ સારી રીતે માહિતગાર છે. એક સમયે જ્યારે માંજરેકરે રવિન્દ્ર જાડેજાની ટીકા કરતાં તેને પીટ્સ એન્ડ પીસ ક્રિકેટર કહ્યો હતો. માંજરેકરની ટીકાનો જાડેજાએ પણ આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. બંને લોકો તરફથી સોશિયલ મીડિયામાં પણ નિવેદનબાજી જોવા મળી હતી. જોકે, તાજેતરમાં માંજરેકર અને જાડેજાના સંબંધોમાં સુધારો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે મિત્રતાના સંબંધોની શરૂઆત થઈ ગઈ છે.

રવિન્દ્ર જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પર સંજય માંજરેકરની એક તસ્વીર શેર કરીને મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે, ‘હું મારા ખાસ મિત્રને સ્ક્રીન પર જોઈ રહ્યો છું.’ આ પ્રથમ વખત બંનેએ એકબીજા માટે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી છે. જોકે, જાડેજાએ ચોક્કસથી મજાકિયા અંદાજમાં માંજરેકરને લઈને ટ્વિટ કરી છે પરંતુ હવે આ અંદાજથી ખ્યાલ આવે છે કે તેમના સંબંધોમાં સુધારો આવી રહ્યો છે. માંજરેકર હાલમાં લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાના ટ્વિટ પર સંજય માંજરેકરે પણ પ્રતિક્રિયા આપી છે. માંજરેકરે હસતાં-હસતાં લખ્યું હતું કે, ‘અને તમારો આ ખાસ મિત્ર તમને ફરીથી ક્રિકેટના મેદાન પર જોવા ઈચ્છે છે.’
એશિયા કપમાં માંજરેકરે જાડેજાનો ઈન્ટરવ્યુ લીધો હતો
થોડા સમય પહેલા રમાયેલા એશિયા કપમાં સંજય માંજરેકરે પ્રેઝન્ટેશન દરમિયાન જાડેજાનો ઈન્ટરવ્યુ કર્યો હતો. માંજરેકર જ્યારે જાડેજા સાથે વાત કરવા પહોંચ્યો ત્યારે તેણે પહેલો પ્રશ્ન કર્યો હતો કે શું તું મારા સવાલનો જવાબ આપવા માટે સહજ છે કે નહીં. ત્યારે જાડેજાએ હસતાં હસતાં કહ્યું હતું કે હા કેમ નહીં. બાદમાં બંને વચ્ચે સારી વાતચીત થઈ હતી. સંજય માંજરેકરે એશિયા કપમાં તેની રમતની પ્રશંસા પણ કરી હતી.

રવિન્દ્ર જાડેજાએ ઘૂંટણની સર્જરી કરાવી છે
એશિયા કપ દરમિયાન રવિન્દ્ર જાડેજાના ઘૂંટણની ઈજા થઈ હતી. જેના કારણે તેને ઘૂંટણની સર્જરી પણ કરાવવી પડી હતી. ઘૂંટણમાં ઈજાના કારણે તે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. જાડેજાની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો ફટકો છે. જાડેજા શાનદાર ફોર્મમાં હતો અને બેટિંગ અને બોલિંગ બંનેમાં કમાલ કરી રહ્યો હતો.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *