'થાકી ગયો છે વિરાટ કોહલી અને તેના હાથમાંથી સરકી રહ્યો છે સમય' - virat kohli is tired says fromer zimbabwe all rounder dirk viljoen

‘થાકી ગયો છે વિરાટ કોહલી અને તેના હાથમાંથી સરકી રહ્યો છે સમય’ – virat kohli is tired says fromer zimbabwe all rounder dirk viljoen


બ્રેક બાદ હવે વિરાટ કોહલી એશિયા કપ દ્વારા પુનરાગમન કરશે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટરને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો. જેના કારણે એશિયા કપમાં તમામ લોકોની નજર તેના પર રહેશે કે બ્રેક બાદ તેનું પ્રદર્શન કેવું રહેશે. એશિયા કપ ઘણી મહત્વની ટુર્નામેન્ટ છે અને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ વખતે ટુર્નામેન્ટનું ફોર્મેટ ટી20 રાખવામાં આવ્યું છે. 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન બનાવવાની ઉત્તમ તક છે. ટીમમાં હાલમાં ઘણા યુવાન ખેલાડીઓ આવ્યા છે જેઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોહલી એશિયા કપમાં બેટ વડે સાતત્યપૂર્ણ સારું પ્રદર્શન નહીં કરે તો તેને ટી20 વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન આપવામાં આવશે કે કેમ?

નોંધનીય છે કે વિરાટ કોહલીએ છેલ્લે નવેમ્બર 2019માં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. જોકે, કોહલીએ ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને 23,726 રન ફટકાર્યા છે. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર ડિર્ક વિલજોનનું કહેવું છે કે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન સુનિશ્ચિત રાખવા માટે કોહલીના હાથમાંથી સમય સરકી રહ્યો છે. ઝિમ્બાબ્વે માટે બે ટેસ્ટ અને 53 વન-ડે રમી ચૂકેલા વિલજોને અમારા સહયોગી ટાઈમ્સઓફઈન્ડિયા.કોમ સાથેના ઈન્ટરવ્યુમાં કોહલીના ફોર્મ અંગે વાતચીત કરી હતી.

શું વિરાટ કોહલી પોતાનું જૂનું ફોર્મ પરત મેળવી શકશે અને રનનો ઢગલો ખડકી શકશે?
વિલજોને જણાવ્યું હતું કે, લોકેશ રાહુલ માટે પણ આવી જ દલીલો કરવામાં આવી હતી. તાજેતરમાં જ બેન સ્ટોક્સે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી લીધી. આ ઘણો મોટો નિર્ણય હતો કેમ કે તે એક મનોરંજક ખેલાડી છે અને વન-ડેમાંથી તેની નિવૃત્તિ ઘણો મોટો નિરાશાજનક નિર્ણય છે. પરંતુ હાલમાં આવા મોટા ખેલાડીઓ ઘણા દબાણમાં છે. એક તબક્કે ખેલાડીએ શાંતિથી બેસીને વિચારવાની જરૂર હોય છે. વિરાટ કોહલી પર વધારાનું દબાણ છે. તેના પર વધારાનું દબાણ એટલા માટે છે કેમ કે તેની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે. અમારા સમયમાં સચિન તેંડુલકર આવો ખેલાડી હતો. સચિન તેંડુલકર અદ્દભુત હતો. સચિન થોડો નસીબદાર એટલા માટે હતો કેમ કે તે સમયે આટલું બધું ક્રિકેટ રમાતું ન હતું. અમારા સમયમાં આઈપીએલ ન હતી. ત્યારે દુબઈ લીગ, પાકિસ્તાન પ્રીમિયર લીગ, બિગ બેશ કે પછી ધ હન્ડ્રેડ જેવી લીગ ન હતી. તેથી સ્વાભાવિક રીતે જ ખેલાડીઓને આરામ મળી જતો હતો.

કોહલીના કિસ્સામાં હું આવું જોઈ શકતો નથી. અને જો તે સારું પ્રદર્શન કરી શકતો નથી તો તે વધારેને વધારે ખરાબ થઈ રહ્યું છે. તેની સમસ્યા કમ્પાઉન્ડ છે અને જો તમે તેને રમતો જોશો તો ખ્યાલ આવશે કે તેણે પોતાની ટેકનિક બદલી નથી. તે આજે પણ એવી જ રીતે રમે છે જેવી રીતે વિરાટ કોહલી હંમેશા રમે છે. તે પહેલાની જેમ મોટો સ્કોર કરી શકતો નથી. તે થાકી ગયો છે. તેની પાસેથી સમય સરકી રહ્યો છે. તેણે આવી રીતે રહેવું જોઈએ- હા હું આરામ કરીશ અને પછી વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ બનીશ. પરંતુ હાલમાં તેની પાસે એટલો સમય નથી કે તે આવું કરી શકે કારણ કે તેણે પોતાનું ફોર્મ મેળવવા માટે ક્રિકેટ રમવાની જરૂર છે. આપણે જોયું કે એબી ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી અને આઈપીએલ રમ્યો. વિરાટ કોહલી હજી પણ આવું કરી શકે છે. પરંતુ મારા મતે કોહલીએ સોશિયલ મીડિયા તથા ન્યૂઝથી દૂર રહેવાની જરૂર છે. તેણે બ્રેક લઈને કોઈ બીચ કે એવી કોઈ અલગ જગ્યાએ જવાની જરૂર છે જ્યાંથી તે પોતાને રીચાર્જ કરી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *