જે ઈજાના કારણે જાડેજા T20 વર્લ્ડ કપની બહાર થયો તે ટાળી શકાઈ હોત, BCCI રોષે ભરાયું - freak injury lead ravindra jadeja out of t20 world cup that could have been avoided bcci fumes

જે ઈજાના કારણે જાડેજા T20 વર્લ્ડ કપની બહાર થયો તે ટાળી શકાઈ હોત, BCCI રોષે ભરાયું – freak injury lead ravindra jadeja out of t20 world cup that could have been avoided bcci fumes


ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે જે અત્યારે ટીમ ઈન્ડિયા માટે એટલી નિરાશાજનક અને શરમજનક સાબિત થઈ છે કે તે લગભગ તપાસ માટેના વોરંટ જેવી છે. જાડેજાને આ ઈજા સાહસિક પ્રવૃત્તિ કરવા બદલ થઈ હતી અને આ ઈજા ટાળી શકાય તેમ હતી. એશિયા કપ રમવા માટે દુબઈ ગયેલી ભારતીય ટીમ જે ટીમ હોટલમાં રોકાઈ હતી ત્યાં જાડેજાને હોટલમાં આવેલી બેકવોટર ફેસિલિટીમાં વોટર-બેઝ્ડ ટ્રેનિંગ એક્ટિવિટી કરવાનું કહેવામાં આવ્યું હતું.

સૂત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, એડવેન્ચર એક્ટિવિટીના ભાગ રૂપે જાડેજાને એક સ્કી-બોર્ડ પર બેલેન્સ કરવાનું હતું. આ પ્રવૃત્તિ ટ્રેનિંગ મેન્યુઅલનો ભાગ ન હતી. આ એકદમ બિનજરૂરી હતી. જાડેજા સ્કી-બોર્ડ પરથી લપસી ગયો હતો અને તેનો ઘૂંટણ ખરાબ રીતે વળી ગયો હતો જેના કારણે તેને સર્જરીની જરૂર પડી. જાડેજા બાદમાં મુંબઈ આવ્યો હતો અને બીસીસીઆઈ કન્સલ્ટંટના માર્ગદર્શનમાં સિનિયર ઓર્થોપેડિક સર્જન ડોક્ટર દિનશો પારડીવાલા પાસે સર્જરી કરાવી.

હવે પ્રશ્ન એ પૂછવામાં આવી રહ્યો છે કે શું સ્કી-બોર્ડ એક્ટિવિટી જરૂરી હતી? ટી20 વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાના અત્યંત મહત્વના ખેલાડીઓમાં સામેલ એવા જાડેજાને આવી એડવેન્ચર એક્ટિવિટી કરાવવાની શું જરૂર હતી? ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે જાડેજાની ઈજાના કારણે બીસીસીઆઈના કેટલાક અધિકારીઓ પણ રોષે ભરાયા છે. હજી સુધી કોઈ અધિકારીએ પ્રશ્ન ઉઠાવ્યો નથી પરંતુ જે લોકોની જાણમાં આવ્યું છે તે પ્રમાણે ઈજા એટલી ખરાબ અને વિચિત્ર છે કે એક ચોક્કસ પોઈન્ટ પર તેનો જવાબ આપવો પડી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અહીં આશ્ચર્યની વાત એ છે કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ઈજા કેવી રીતે થઈ તે અંગે પોતાનો પિત્તો ગુમાવ્યો નથી. આદર્શ સ્થિતિ એ છે કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છશે કે રાહુલ દ્રવિડ આ સમગ્ર પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવશે. ટૂંકમાં વાત એ છે કે ભારતીય ટીમ રવિન્દ્ર જાડેજા વગર જ ઓસ્ટ્રેલિયા જશે.

જાડેજાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી આઉટ થઈ ગઈ છે. હવે તેની ગેરહાજરીમાં ટી20 વર્લ્ડ કપમાં ટીમને મોટો ફટકો પડશે. એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાએ બે ઓવર કરી હતી જેમાં તેણે ઘણા ઓછા રન આપ્યા હતા. આ ઉપરાંત તેણે ચોથા ક્રમે બેટિંગમાં આવીને 29 બોલમાં 35 રન ફટકારીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારપછી હોંગકોંગ સામેની મેચમાં જાડેજાને બેટિંગની તક મળી ન હતી પરંતુ તેણે ચાર ઓવરમાં 15 રન આપીને એક વિકેટ ખેરવી હતી. ત્યારબાદ જાડેજાને ઈજા થઈ હતી અને ત્યારપછીની પાકિસ્તાન સામેની મેચમાં તે રમી શક્યો ન હતો અને ભારત આ મેચ પાંચ વિકેટે હારી ગયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *