સ્ટિંગમાં ફસાયેલા BCCIના ચેતન શર્માની ઊંધી ગણતરી શરું, 4 મહિનામાં બીજી વાર થશે 'આઉટ'? - bcci siad india chief selector chetan sharma will be sacked after sting operations

સ્ટિંગમાં ફસાયેલા BCCIના ચેતન શર્માની ઊંધી ગણતરી શરું, 4 મહિનામાં બીજી વાર થશે ‘આઉટ’? – bcci siad india chief selector chetan sharma will be sacked after sting operations


નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ચેતન શર્માને લઈને ગરમા ગરમી મચી છે. તેઓના સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી અને ફિટનેસ માટે ઈન્જેક્શન સહિત અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. એ પછી એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે ચેતન શર્માને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટરને આ પહેલાં ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને રિટેન કર્યા હતા.

ચેતન શર્માના દિવસો ગયા હવે
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઈનસાઈટસ્પોર્ટને જણાવ્યું છે કે, ચેતન શર્માના દિવસ ગણ્યાં ગાંઠ્યા રહ્યા છે. અધિકારીએ કહ્યું કે, આ ખરેખરમાં શરમજનક છે. માત્ર બીસીસીઆઈ માટે જ નહીં પણ ભારતના સમગ્ર ક્રિકેટ માટે પણ છે. હાલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાલી રહી છે. એના પર તેની ખરાબ અસર પડી શકે છે. બોર્ડએ માત્ર ન ક્રિકેટરોને શાંત કરવા પડશે પણ તેમના ટુર્નામેન્ટનો પણ ઉકેલ લાવવો પડશે. આ મુદ્દે અંદરથી તપાસ થશે, પરંતુ નિશ્ચિત છે કે તેમની હવે ઊંધી ગણતરી શરુ થઈ ગઈ છે, કારણ કે પ્લેયર્સને હવે તેમના પર વિશ્વાસ નથી.
Shubman Gill: એક્સ-ગર્લફ્રેન્ડ સારા તેંડુલકર સાથે શુભમન ગિલનું થયું પેચઅપ? લંડનમાં સાથે સેલિબ્રેટ કર્યો વેલેન્ટાઈન ડે!
ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા આવા આક્ષેપો
ચેતન શર્માએ સ્ટિંગ વિડીયોમાં ટીમ ઈન્ડિયાના પ્લેયર્સના ફિટનેસને લઈને મોટો આરોપ લગાવતા કહ્યું કે, ખેલાડીઓ મેડિકલ ટેસ્ટ નથી કરી શકતા, પરંતુ મેચ મિસ કરવા માગતા નથી. ભારતીય ક્રિકેટ ટીના ખેલાડી ઈન્જેક્શન લેતા હોય છે અને 80 ટકા ફિટ હોવા છતા પણ 100 ટકા ફિટ થઈ જાય છે. આ ઈન્જેક્શનમાં એવી દવા છે કે જે ડોપ ટેસ્ટમાં પકડાતી નથી. એક અધિકારીએ જણાવ્યું કે, આ બીસીસીઆઈ સચિવ જય શાહ જ નક્કી કરશે કે ચેતનનું ભવિષ્ય શું હશે. સવાલ એ છે કે શું ટી20 કેપ્ટન હાર્દિક પંડ્યા અને વનડે તથા ટેસ્ટ કેપ્ટન રહિત શર્મા પસંદગી બેઠકમાં ચેતનની સાથે બેસવા માગશે, એ જાણવા છતા કે ચેતન શર્માએ આંતરિક ચર્ચાઓ છેડી છે.

શું ચેતન શર્મા ફરી થશે સસ્પેન્ડ?
એ વાત પર ધ્યાન દોરવું જોઈએ કે ચેતન અને આખી પસંદગી સમિતિને નિરાશાજનક ટી20 વર્લ્ડ કપ અભિયાન બાદ બીસીસીઆઈ તરફથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જો કે, બીસીસીઆઈએ એક મહિના બાદ પસંદગીકર્તાઓના અધ્યક્ષ રુપે પૂર્વ વિશ્વ કપ વિજેતાને ફરીથી નિયુક્ત કર્યા હતા. હવે ક્રિકેટરોને અંસોષ થશે તો સંભાવના છે કે તેમને ફરીથી બહારનો રસ્તો બતાવવામાં આવશે.
સ્ટિંગમાં ફસાયેલા BCCIના ચેતન શર્માની ઊંધી ગણતરી શરું, 4 મહિનામાં બીજી વાર થશે 'આઉટ'? - bcci siad india chief selector chetan sharma will be sacked after sting operationsલગ્નમાં Hardik Pandyaએ દેખાડ્યા ડાન્સ મૂવ્સ, Natasa Stankovic પર એટલો પ્રેમ વરસાવ્યો કે મહેમાનો પણ જોતા રહી ગયા
ચેતન શર્મા ખુદ આપી શકે છે રાજીનામુ?
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, તેમના દિવસોની ઊંધી ગણતરી શરુ થઈ ચૂકી છે. તેમની વાતો જાહેર થયા બાદ પ્લેયર્સને તેમના પર વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હશે, જો કે એ આંતરિક તપાસ બાદ જ નક્કી થશે. પરંતુ એક સંભાવના એવી છે કે તેઓ ખુદ આ પદ છોડી શકે છે. જ્યારે તેમને મળીશું ત્યારે બધુ બહાર આવશે.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *