Today News

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડના આ નિર્ણયોએ ભારતને હરાવી દીધું, લાગ્યું ચોકર્સનું ટેગ – india defeat in wtc final because of thease decisions of rohit sharma and rahul dravid

રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવો


રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવો

ઓસ્ટ્રેલિયાની સામે ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહોંતો કર્યો. અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે, પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટમાં તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજા પર વિશ્વાસ મુક્યો. અશ્વિન ટેસ્ટમં બોલિંગ કરવા ઉપરાંત સારી બેટિંગ પણ કરી શકે છે.

ટોસ જીતીને રોહિત દ્વારા પહેલા બોલિંગ પસંદ કરવી

ઓસ્ટ્રેલિયાની સામે આ ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ બંને પિચને ઓળખવામાં થાપ ખાઈ ગયા. તેમને લાગ્યું કે, પિચ બોલરો માટે મદદરૂપ સાબિત થશે, પરંતુ પહેલી ઈનિંગ્સમાં જ સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડએ સદી ફટકારી ટીમ ઈન્ડિયાના પ્લાનને ફેલ કરી દીધો.

ઈશાન કિશન પર ન કર્યો વિશ્વાસ

WTC ફાઈનલમાં રિષભ પંત ઈજાગ્રસ્ત હોવાના કારણે તેના સ્થાને શ્રીકર ભરતને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી. જોકે, સ્ક્વોડમાં ઈશાન કિશન પણ હતો, પરંતુ તેના પર વિશ્વાસ ન મૂકાયો. ઈશાનને ટેસ્ટ મેચમાં રમવાનો અનુભવ નથી, પરંતુ તે પોતાની આક્રમક બેટિંગથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પર દબાણ બનાવી શકે તેમ હતો. તો, ભરત બેટિંગમાં સતત ફ્લોપ રહ્યો છે.

આઈપીએલ મોડમાં ફસાઈને રહી ગઈ ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમ હાલમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રમીને WTC ફાઈનલ માટે લંડન ગઈ હતી. બે મહિના સુધી ટી-20 ક્રિકેટ રમ્યા પછી કદાચ ભારતીય ટીમ આઈપીએલ મોડમાંથી પોતાને બહાર ન કાઢી શકી. એ જ કારણ છે કે ટેસ્ટ મેચમાં તેની સ્ટ્રેટેજી ઓસ્ટ્રેલિયા સામે નિષ્ફળ રહી.

Exit mobile version