પાકિસ્તાનના પૂર્વ બલર સરફરાજ નવાઝનું માનવું છે કે, ભારતીય ટીમ એશિયા કપ અને વિશ્વ કપ પહેલાં યોગ્ય કોમ્બિનેશન તૈયાર કરી રહી નથી. તેણે કહ્યું કે, ભારતીય ટીમને બરબાદ કરવામાં આવી રહી છે. આ સિવાય આ પૂર્વ ખેલાડીએ કોચ રાહુલ દ્રવિડ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. બીજી તરફ, આગામી 15 ઓગસ્ટના રોજ ટીમ ઈન્ડિયા આયરલેન્ડના પ્રવાસે છે અને એ પણ કોચ વગર.
