Today News

જાડેજા સાથે વાત કરતાં પહેલા માંજરેકરે માંગી ‘મંજૂરી’, બાપુએ આપ્યો આવો જવાબ – asia cup 2022 india vs pakistan why sanjay manjrekar asked ravindra jadeja if he is okay to talk

જાડેજા સાથે વાત કરતાં પહેલા માંજરેકરે માંગી 'મંજૂરી', બાપુએ આપ્યો આવો જવાબ - asia cup 2022 india vs pakistan why sanjay manjrekar asked ravindra jadeja if he is okay to talk


દુબઈમાં રવિવારે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને સામને થઈ હતી. આ મુકાબલો ઘણો જ રોમાંચક રહ્યો હતો જેમાં ભારતે અંતિમ ઓવરમાં વિજય નોંધાવ્યો હતો. આ મેચમાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ દમદાર બેટિંગ કરીને ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી પરંતુ જાડેજા અને હાર્દિકે ટીમને પાંચ વિકેટે વિજય અપાવ્યો હતો. મેચ પૂરી થયા બાદ સૌરાષ્ટ્રના સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને કોમેન્ટેટર-પ્રેઝન્ટર સંજય માંજરેકર (Sanjay Manjarekar) આમને સામને થયા હતા.

જાડેજા અને માંજરેકર વચ્ચેની તકરાર ક્રિકેટપ્રેમીઓ સારી રીતે જાણે છે. 2019ના વર્લ્ડ કપ દરમિયાન માંજરેકરે જાડેજાની બેટિંગની ટીકા કરી હતી. બાદમાં જાડેજાએ પોતાની બેટિંગ વડે ભૂતપૂર્વ ક્રિકેટરને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટના બાદ બંને જણા પ્રથમ વખત આમને સામને થયા હતા. માંજરેકરનો સામનો જાડેજા સામે થયો ત્યારે તેણે એક એવો સવાલ કર્યો હતો જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.

જ્યારે માંજરેકર જાડેજા સાથે વાતચીત કરવા માટે આવ્યો ત્યારે તેણે સૌથી પહેલા પ્રશ્ન કર્યો હતો કે, ‘શું તમે મારી સાથે વાત કરવા માટે સહજ છો ને?’ જેના જવાબમાં જાડેજાએ સ્મિત આપીને કહ્યું હતું કે, ‘હા હા… બિલકુલ. મને કોઈ સમસ્યા નથી.’ ત્યારબાદ માંજરેકરે જાડેજાને મેચમાં તેના પ્રદર્શન અને દબાણ ભરેલી પરિસ્થિતિમાં તેના પ્રદર્શન અંગે વાત કરી હતી. જોકે, ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં માંજરેકર અને જાડેજાની આ વાતનો વિડીયો ઘણો જ વાયરલ થયો છે.

2019ના વર્લ્ડ કપમાં જાડેજા અને માંજરેકર વચ્ચે થઈ હતી તકરાર
હકીકતમાં 2019ના વર્લ્ડ કપ દરમિયાન માંજરેકરે જાડેજાની આકરી ટીકા કરી હતી. માંજરેકરે જાડેજાને બિટ્સ એન્ડ પીસ ક્રિકેટર કહ્યો હતો. ત્યારબાદ ભારતીય ઓલ-રાઉન્ડર માંજરેકર પર ઘણો રોષે ભરાયો હતો. તેણે કહ્યું હતું કે, હું તમારાથી બે ગણું રમી ચૂક્યો છું અને હજી પણ રમી રહ્યો છું. તે લોકોનું સન્માન કરતાં શીખો જેમણે કંઈક હાંસલ કર્યું છે.

પાકિસ્તાન સામે જાડેજા-હાર્દિકની જોડીએ કરી દીધી કમાલ
એશિયા કપમાં ભારતીય બોલર્સે દમદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાની ટીમ 19.5 ઓવરમાં 47 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. જોકે, જવાબમાં પાકિસ્તાની બોલર્સે પણ ભારતીય ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. લોકેશ રાહુલ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. સુકાની ઓપનર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને સ્ટાર ખોટા શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે 89 રન પર પોતાની ટોચની વિકેટો ગુમાવી દીધી હતી. પરંતુ જાડેજા અને હાર્દિકે ટીમને વિજય અપાવ્યો હતો. જાડેજા 29 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 35 રન નોંધાવીને અંતિમ ઓવરમાં આઉટ થયો હતો. જ્યારે હાર્દિક પંડ્યાએ વિજયી સિક્સર ફટકારી હતી. તેણે 17 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ 33 રનની ઈનિંગ્સ રમી હતી.

Exit mobile version